SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. का तेऽष्टादशदेशे चिंता, वातुल तव किं नास्ति नियंता। . यस्त्वां हस्ते सुदृढनिबद्धं, बोधयति प्रभवादिविरुद्धम् ॥११॥ અઢાર દેશમાં તને શી ચિંતા [ છે?] હે વાયડા ! શું તારો નિયતા નથી? જે સુદઢ બંધાયેલા તને દૂતારા) હાથમાં જન્માદિથી વિરુદ્ધ ઉપદેશ કરે છે. ભરતખંડના અઢાર દેશોમાં શ્રદ્ધાલુ મનુષ્યની પાસે અન્નવસ્ત્રાદિ પુષ્કલ છે, તે અન્નવસ્ત્રાદિ વિશ્વભરની પ્રેરણાથી તારે જોઈએ તેટલાં તે મનુષ્ય તને આદરપૂર્વક આપશે, છતાં તને તારા શરીરનિર્વાહની ચિંતા શા માટે થાય છે? હે ગાંડા! શું તારા માથા ઉપર તારા નિયંતા પરમાત્મા નથી ? તું પિતે તારા યોગક્ષેમની જેટલી ચિંતા રાખી શકે તેના કરતાં તેઓ તારા ગક્ષેમની વધારે ચિંતા રાખે છે, ને તારો ગક્ષેમને ઉત્તમ પ્રકારે સર્વદા નિર્વાહ કરે છે. જે કરુણુંકર પરમાત્મા આ સંસારમાં વિષયતૃષ્ણાથી સુદઢ બંધન પામેલા તને તારા હાથમાં જન્માદિ છ ભાવવિકારોથી રહિત પરમતત્વને ઉપદેશ રૂપ ચિંતામણિ આપે છે, તેથી સંતુષ્ટ થા. ૧૧. શ્રીસદ્ગુરુના ચરણારવિંદની અડગ ભક્તિ કરવાથી ને ઇકિયાદિને નિયમમાં રાખવાથી શીઘ્ર પરમતત્ત્વને સાક્ષાત્કાર કરી મુક્ત થવાય છે એમ જણાવે છે – . गुरुचरणाम्बुजनिर्भरभक्तः, संसारादचिराद्भव मुक्तः । सौद्रियमानसनियमादेवं, द्रक्ष्यसि निजहृदयस्थं देवम् ॥१२॥ [તું ] શ્રી ગુરુના ચરણારવિંદને પરિપૂર્ણ ભક્ત [ છે, તેથી તું] સંસારથી શીઘ મોકળો થા. ઇદ્રિ સહિત
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy