________________
*
*
*
*
*
-
-
૨૭૦
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદા રત્નો. થત સંસાર અત્યંત વિચિત્ર ગતિવાળે છે. તું જેને પુત્ર છે? કોણ છે ? ને ક્યાંથી આવ્યું છે ? આ વિષય પણ વ્યવહારપક્ષે જોઈએ તેવા નક્કી થઈ શકે એવા નથી. વસ્તુતાએ અહિં બ્રહ્મથી ભિન્ન કાંઈ ન હોવાથી એ સર્વ કલ્પિત મૃગજલની નદીના જેવું મિથ્યા પ્રતીત થાય છે. હે ભાઈ ! જેમાં આ સર્વ જગત કલ્પાયું છે તે પરમતત્વના સ્વરૂપને તું તારા શ્રીસદ્ગદ્વારા શીધ્ર આદરપૂર્વક સ્થિરચિત્તે વિચાર કર. કલ્પિતને વિચાર કરવાથી તને કાંઈ લાભ થવાનો સંભવ નથી. થાય ત્યં વા યુત ગાયતત્તર ચિન્તય તરિ પ્રાત: છે આવું પાઠાંતર સ્વીકારતાં તેને આ પ્રમાણે અર્થ થાય છે–તું કે છે? વા ક્યાંથી આવ્યું છે ? હે ભાઈ ! તે આ તત્ત્વને વિચાર કર. ૩. | સર્વ દશ્યને અનિત્ય જાણું તેને પરિત્યાગ કરવાને ને બ્રહ્મની અભેદભાવે પ્રાપ્તિ કરવાને ઉપદેશ કરે છે – मा कुरु जनधनयावनगर्व, हरति निमेषात् काल: सर्वम् । मायामयमिदमखिलं हित्वा, ब्रह्मपदं त्वं प्रविश विदित्वा ॥ ४ ॥ - સેવક, ધન ને યાવનને ગર્વ ન કર. કાલ નિમેષમાં સર્વને હરે છે. આ સર્વ માયામયને ત્યજી દઈને તું બ્રહ્મ સ્વરૂપને જાણીને પ્રવેશ કર.
સેવા કરનારા મનુષ્યો, નાનાપ્રકારનું દ્રવ્ય, ને રમણીય લાગતું યવન આ સર્વ વિજળીના ઝબકારાજેવું ક્ષણભંગુર છે, માટે તું તારા સેવકને, ધનને કે યૌવનને લેશ પણ ગર્વ ન કર. વિનાશીને ગર્વ શ કરવો ? બલવાન કાલ સમય આવે આ સેવકાદિને આંખ વીંચતાં જેટલે અલ્પ સમય લાગે તેટલા અલ્પ સમયમાં નાશ કરે છે. આ જોવામાં આવતે સર્વ સંસાર માયામય એટલે મિથ્યા છે, માટે તે સર્વમાં રહેલી તારી આરૂઢ પ્રીતિને પરિત્યાગ કરી તું આ સર્વના