________________
શ્રીસ્વાત્મનિરૂપણ.
૨૩૩
નથી એવા તત્ત્વજ્ઞાનીઓને સિદ્ધાંત છે. વાર્તિકકાર પણ નીચેના વચનથી એ પ્રમાણે કહે છેઃ-‘ ચિઢચવારે તુ દ્વૈત ચાવ પર્યાત । યોદ્ધાત્માંતળ ન પર્યાત ચિત્વયાત્ ।” ( જોકે ક્યારેક વ્યવહારમાં જ્ઞાની તને જુએ છે, તેપણ ચૈતન્યના અન્વયથી જ્ઞાનરૂપ આત્માથી ભિન્ન જોતા નથી. ) ૯૬.
જે બ્રહ્મથી ભિન્ન કાંઇ પણ વસ્તુ ન હોય તેા વિધા ને અવિચાદિ વિભાગ શ્રુતિમાં કહ્યા છે તેનું શી રીતે સમાધાન કરવું ? એમ શંકા થાય તા તેના સમાધાનમાં કહે છેઃ—
व्यवहारस्य दशेयं विद्याविद्येति वेदपरिभाषा । नास्त्येव तत्त्वदृष्ट्या तत्त्वं ब्रह्मैव नान्यदत्यस्मात् ॥ ९७ ॥ વ્યવહારની સિદ્ધિને માટે આ વિદ્યા ને અવિદ્યા એમ વેદની પરિભાષા [છે,] તત્ત્વની ષ્ટિએ નથીજ. યથાર્થ સ્વરૂપ બ્રહ્મજ [છે, આનાથી ભિન્ન નથી.
શાસ્ત્રીય અને સૈાકિકવ્યવહારના સંપાદનમાટે જ્ઞાન અને અજ્ઞાનરૂપ વિદ્યા અને અવિધા એવી વેદની પરિભાષા એટલે સંજ્ઞા છે. બ્રહ્મ અને આત્માના એકપણાના સિદ્ધાંતની દૃષ્ટિએ ોઇએ તે વિદ્યા અને અવિધા એવી કોઇ વસ્તુ નથી. યથાર્થ સ્વરૂપ બ્રહ્મજ છે. આ બ્રહ્મથી ભિન્ન અન્ય કાંઇ પણ વસ્તુ નથી. “ નૈદ્દ નાના ત શ્ર્વિન ॥” ( અહિં કાંઇ પણ ભેદ નથી, ) ત્યાદિ શ્રુતિ પણ એમજ કહે છે. ૮૭,
બ્રહ્મથી અન્ય બીજી વસ્તુ છે એમ માનનારાના મતમાં પણ અસ્તિત્વરૂપે તે વાદીએવડે બ્રહ્મજ કહેવાય છે એમ કહે છે:अस्त्यन्यदिति मतं चेत्तदपि ब्रह्मैव चास्तितारूपम् । व्यतिरिक्तमस्तिताया नास्तितया शून्यमेव तत्सिद्धम् ॥९८ ॥