SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. હવે આ માયામાત્ર જગતપ ચિત્ર કયાં રહે છે ? અને કોણે ઉત્પન્ન કયું છે? એમ જાણવાની ઇચ્છા થાય તે તેના સમાધાનમાં કહે છે – आत्ममये महति पटे विविधजगचित्रमात्मना लिखितम् । स्वयमेव केवलमसो पश्यन् प्रमुदं प्रयाति परमात्मा ॥९॥ આત્મસ્વરૂપ મોટા વસ્ત્રમાં વિવિધ જગતરૂપ ચિત્ર આત્માએ ચિહ્યું છે. આ પરમાત્મા પોતેજ જોતા છતા આનંદને પામે છે. આત્મસ્વરૂપ મોટા વિસ્તારવાળા વસ્ત્રમાં નાનારૂપવાળું જગતરૂપ ચિત્ર પિતે પિતાની ઇચ્છારૂપ પીછીવડે પોતામાંજ ચિહ્યું છે. આ ચિત્રને જોઇને અન્ય અવલોકન કરનાર ન હોવાથી પરમાત્મા પિતજ આનંદ પામે છે. જેમ કોઈ લૌકિક ચિતાર પિતે પિતાની હથેળી આદિમાં ચિત્ર કાઢીને આ ચિત્ર રમણીય છે એમ જે આનંદ પામે છે, તેમ પરમાત્મા પિતાના સ્વરૂપમાં પિોતેજ આ જગતરૂપ ચિત્ર ચિત્રીને તેને જોઈને પ્રસન્ન થાય છે. ટપ. હવે સર્વ બ્રહ્મજ છે એવા વિદ્વાનને નિશ્ચયને કહે છે:– चिन्मात्रममलमक्षयमद्वयमानन्दमनुभवारूढम् । ब्रह्मैवास्ति तदन्यन्न किंचिदस्तीति निश्चयो विदुषाम् ॥ ९६ ॥ ચૈતન્યસ્વરૂપ, નિર્મલ, અવ્યય, અદ્રય, આનંદરૂપ નેિ અનુભવવડે જાણવાગ્ય બ્રહ્માજ છે, તેનાથી ભિન્ન કાંઈ પણ નથી. આ વિદ્વાનને નિશ્ચય છે. કેવલ ચેતન્યસ્વરૂપ, અવિવાદિ મલથી રહિત, અવિનાશી, દેવરહિત, પરમાનંદસ્વરૂપ અને અનુભવવડે જાણવામાં આવે એવું બ્રહ્મજ સર્વત્ર વિલસી રહ્યું છે. તે બ્રહ્મથી ભિન્ન બીજું કાંઈ પણ અહિ
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy