________________
૨૩૨
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો.
હવે આ માયામાત્ર જગતપ ચિત્ર કયાં રહે છે ? અને કોણે ઉત્પન્ન કયું છે? એમ જાણવાની ઇચ્છા થાય તે તેના સમાધાનમાં કહે છે –
आत्ममये महति पटे विविधजगचित्रमात्मना लिखितम् । स्वयमेव केवलमसो पश्यन् प्रमुदं प्रयाति परमात्मा ॥९॥
આત્મસ્વરૂપ મોટા વસ્ત્રમાં વિવિધ જગતરૂપ ચિત્ર આત્માએ ચિહ્યું છે. આ પરમાત્મા પોતેજ જોતા છતા આનંદને પામે છે.
આત્મસ્વરૂપ મોટા વિસ્તારવાળા વસ્ત્રમાં નાનારૂપવાળું જગતરૂપ ચિત્ર પિતે પિતાની ઇચ્છારૂપ પીછીવડે પોતામાંજ ચિહ્યું છે. આ ચિત્રને જોઇને અન્ય અવલોકન કરનાર ન હોવાથી પરમાત્મા પિતજ આનંદ પામે છે. જેમ કોઈ લૌકિક ચિતાર પિતે પિતાની હથેળી આદિમાં ચિત્ર કાઢીને આ ચિત્ર રમણીય છે એમ જે આનંદ પામે છે, તેમ પરમાત્મા પિતાના સ્વરૂપમાં પિોતેજ આ જગતરૂપ ચિત્ર ચિત્રીને તેને જોઈને પ્રસન્ન થાય છે. ટપ.
હવે સર્વ બ્રહ્મજ છે એવા વિદ્વાનને નિશ્ચયને કહે છે:– चिन्मात्रममलमक्षयमद्वयमानन्दमनुभवारूढम् । ब्रह्मैवास्ति तदन्यन्न किंचिदस्तीति निश्चयो विदुषाम् ॥ ९६ ॥
ચૈતન્યસ્વરૂપ, નિર્મલ, અવ્યય, અદ્રય, આનંદરૂપ નેિ અનુભવવડે જાણવાગ્ય બ્રહ્માજ છે, તેનાથી ભિન્ન કાંઈ પણ નથી. આ વિદ્વાનને નિશ્ચય છે.
કેવલ ચેતન્યસ્વરૂપ, અવિવાદિ મલથી રહિત, અવિનાશી, દેવરહિત, પરમાનંદસ્વરૂપ અને અનુભવવડે જાણવામાં આવે એવું બ્રહ્મજ સર્વત્ર વિલસી રહ્યું છે. તે બ્રહ્મથી ભિન્ન બીજું કાંઈ પણ અહિ