________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રસ્તે.
હવે વાદીએ સિદ્ધ કરેલા અર્થનું નિરાકરણ કરે છેઃजीवत्वमपि तथेदं बहुविधसुखदुः खलक्षणोपेतम् । गतमिव साधनशक्त्या प्रतिभात्येव प्रयाति न विनाशम् ॥६०॥
૨૧૪
તેવી રીતે આ બહુ પ્રકારના સુખદુઃખરૂપ. લક્ષણથી યુક્ત જીવપણું પણ સાધનશક્તિવડે ગયેલાના જેવું ભાસેજ છે, [પણ] વિનાશને પામતું નથી.
તેવી રીતે એટલે ઉપર કહેલા લેાટાના દૃષ્ટાંતની પેઠે આ અનેક પ્રકારના સુખદુઃખમુક્ત જીવસ્વરૂપ પણ ઉપાસનાદિ સાધનના સામવડે માત્ર નાશ પામ્યાજેવું જણાય છે, પરંતુ તે ખરેખરું વિનારા પામતું નથી. ૬૦.
હવે જીવનું સ્વાભાવિક જીવપણું સ્વીકારવામાં દેષ બતાવે છે: तस्मात्स्वतो यदि स्याज्जीवः सततं स एव जीवः स्यात् । एवं यदि परमात्मा परमात्मैवायमिति भवेद्युक्तम् ॥ ६१ ॥
તેથી જો સ્વભાવથી જીવ હાય [તા] તે સદા જીવજ રહે. એમ જો પરમાત્મા [હોય તે] આ પરમાત્માજ એમ
યુક્ત થાય.
જે કારણથી સ્વભાવ બદલાતે નથી તે કારણથી જે જીવ રભાવથી જીવજ હાય તા તે સર્વદા વજ રહેવાને. સ્વરૂપના મેધવડે તેના જીવપણાની નિવૃત્તિ નહિજ થવાની; તેમજ જો તે પરમાત્મા હોય તે તે સર્વદા પરમાત્માજ રહે, આ યુક્તિયુક્ત છે. સ્વરૂપથી આ જીવ પરમાત્મા છે. ઉપાધિને લીધે તેમાં જીવપણાની પ્રાપ્તિ થઇ છે, તે જ્યારે ઉપાધિને લય થાય છે ત્યારે તે પરમાત્મરવપેજ રહે છે. ૬૧