________________
૨૧૨
શ્રીરશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ને,
વાકયા પ્રતિપાદન કરે છે. દ્વૈતપ દુઃખ જવાને અનાયાસે પ્રાપ્ત હોવાથી તેનું પ્રતિપાદન શ્રુતિ કરતી નથી. પપ.
હવે અદ્વૈતાનંદરૂપ બ્રહ્મનું જીવપણું સ્વાભાવિક છે. એમ શંકા
કરે છેઃ—
निगमगिरा प्रतिपाद्यं वस्तु यदानन्दरूपमद्वैतम् । स्वाभाविकस्वरूपं जीवत्वं तस्य केचन ब्रुवते ॥ ५६ ॥ ઉપનિષનાં વાક્યોએ પ્રતિપાદન કરેલ જે આનંદરૂપ અદ્વૈત વસ્તુ [છે] તેનું જીવપણું [એ] સ્વાભાવિકરૂપ છે, એમ કાઇ કહે છે.
ઉપનિષદ્નાં વાવડે સિદ્ધાંતરૂપે નક્કી કરેલ આનંદઘનરૂપ અદ્વૈત બ્રહ્મ છે તેનું વપણું એ સ્વાભાવિકસ્વરૂપ છે. અર્થાત્ જીવસ્વરૂપપણું પણ સ્વભાવથીજ છે, તે બ્રહ્મમાં કલ્પિત નથી, એમ પેાતાને પંડિત માનનારા કેટલાક અજ્ઞાનીઓ કહે છે. ૫૬.
બ્રહ્મનું સ્વાભાવિક જીવપણું છે એમ ઉપરના ક્લાકમાં જે શંકા કરી તેનું હવે નિરાકરણ કરે છેઃ——
स्वाभाविकं यदि स्याज्जीवत्वं तस्य विशदविज्ञप्तेः । सकृदपि न तद्विनाशं गच्छेदुष्णप्रकाशवद्वः ॥ ५७ ॥
તે નિર્મલજ્ઞાનસ્વરૂપનું જો સ્વાભાવિક જીવપણું હોય [તા] તેના કદીપણ વિનાશ ન થાય. અગ્નિની ઉષ્ણતા અને પ્રકાશની પેઠે.
તે નિર્મલજ્ઞાનરૂપ બ્રહ્મનું જે સ્વાભાવિકજ જીવપણું હોય તે તે વસ્વભાવપણું અંતધવડે કદીપણ નિરાકરણ કરી શકાય નહિ. સ્વાભાવિકધર્મનું સર્વદા અનિવાર્યપણું છે; જેમ અગ્નિને ઉષ્ણુ તથા