________________
શ્રીસ્વાત્મનિરૂપણ.
૧૮૫ જેથી મહાવાક્યને વિચારવિના યથાર્થ જ્ઞાન થતું નથી, તેથી મુમુક્ષુએ મહાવાક્યને અવશ્ય વિચાર કરવો જોઈએ. મહાવાકયનું જ્ઞાન પદના અર્થના જ્ઞાનને અધીન છે, તેથી પદના અર્થના શોધનપૂર્વક મહાવાક્યના અર્થને વિચાર કરનાર મુમુક્ષુ પિતાના શ્રી યદુગુસ્ની અલૌકિક દયાના પ્રભાવથી થોડા સમયમાં બ્રહ્મથી અભિન્ન આત્માને સાક્ષાત્કાર કરે છે. કેવલ પિતાની બુદ્ધિવડે જ મુમુક્ષુ મહાવાક્યનો વિચાર કરે તો તેને બ્રહ્મથી અભિન્ન આત્માને સાક્ષાત્કાર થતો નથી, કિંતુ પિતાના સદ્ગરની સમીપ મહાવાક્યને વિચાર કરવાથી તેમની કૃપાના સામર્થ્યથી તે મુમુક્ષને બ્રહ્મથી અભિના આત્માને સાક્ષાત્કાર થાય છે. ૨૪.
વાક્યોનું જ્ઞાન પદના અર્થોના જ્ઞાનને અધીન હોવાથી હવે પદના અર્થો કહે છે; તેમાં પ્રથમ ત્વપદને વાર્થ કહે છે
देहेन्द्रियादिधर्मानात्मन्यारोपयन्नभेदेन । कर्तृत्वाद्यभिमानी बोध: स्यात्वंपदस्य वाच्योऽर्थः ॥ २५ ॥ જે દેહ અને ઇન્દ્રિયાદિના ધર્મોને આત્મામાં અભેદવડે આરેપ કરીને જે] કર્તાપણુદિના અભિમાનવાળું જ્ઞાન થાય છે [તે ત્વપદને વાચ્ય અર્થ છે.]
“તરવમા ” આ વાક્યમાં તત, હં ને ગતિ આ ત્રણ પદો છે, તેમાં જે ત્વપદ છે તેના વાચ્ય અને લક્ષ્ય એવા બે અર્થ થાય છે. તેમાં પ્રથમ ત્વપદના વાચ્યાર્થીને દેખાડે છે. સ્થલપણું, દુબળાપણું ઈત્યાદિ શરીરના ધર્મોને અને કાણુંપણું બહેરાપણું ઇત્યાદિ ઇકિયેના ધર્મોને અને સુખદુઃખાદિ અંતઃકરણના ધર્મોને તેમને જાણનાર આત્મામાં એકપણાની ભ્રાંતિવડે આરોપતો તે