SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાર્થીઓને તમે શું ભણાવતા હતા ?” આકારસમણી રૂાચાર ર્યભગવાનના એક શિષ્ય કહ્યું -“આ અમારા સદ્દગુરુ છે. તેઓશ્રીએ બ્રહ્મસૂત્રઉપર શારીરકનામનું ભાષ્ય રચ્યું છે, જેમાં અદ્વૈતસિદ્ધાંત પ્રમાણે ને યુક્તિઓ વડે બહુ ફુટ કર્યો છે, તે ભાષ્ય અમને અમારા ઉપર નિર્દેતુકી કૃપા કરીને ભણાવવાને શ્રમ લેતા હતા.” આવાં વચન સાંભળી તે વૃદ્ધ બ્રાહ્મણે આચાર્યભગવાને કહ્યું -“તમારું વય નાનું પ્રતીત થાય છે, છતાં તમે અતિ ગંભીર ને ગૂઢ અર્થવાળા બ્રહ્મસૂત્ર પર ભાષ્ય કર્યું છે એ સાંભળી મને બહુ આશ્ચર્ય થાય છે. જે તમે બ્રહ્મસૂત્રનું ભાગ્ય કર્યું હોય તો તમે હું પૂછું તે એક સૂત્રનું વ્યાખ્યાન કરી મને સંભળાવે.” તે સાંભળી આચાર્યભગવાને તેમને કહ્યું: “આપ જે સૂત્રનું વ્યાખ્યાન સાંભળવા ઇચ્છતા હે તે સૂત્ર પ્રસન્ન મને કહે, એટલે નિરભિમાનપણે તેનું યથામતિ વ્યાખ્યાન કરવા યત્ન થઈ શકશે. ” આચાર્યભગવાનનાં આવાં સરલ ને અભિમાનરહિત વચનો સાંભળી તે વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું-બ્રહ્મસૂત્રના ત્રીજા અધ્યાયના પ્રથમ પદના “તત પ્રતિપત્ત શત. સંપsa; નિપvir ” આ પહેલા સૂત્રના ઉપર તમારે જે બેલવું હોય તે બેલો” આચાર્ય ભગવાને તે સૂત્રનું સંક્ષેપમાં આ પ્રમાણે કાર્ય કહ્યું “ પૂર્વદેહથી ઉત્તરદેહની પ્રાપ્તિમાં જીવ દેહનાં બીજ જે પાંચ સૂક્ષ્મભૂત તે વડે પરિવેષ્ટિત થયે છતો જાય છે એમ જલ પાંચમી આહુતિમાં જેમ પુરુષરૂપ પરિણામ પામે છે, તેમ હે વેતકત! તું જાણે છે?” એવા પ્રવાહણરાજાના પ્રશ્નથી ને એવી રીતે જલ પાંચમી આહુતિમાં પુરુષરૂપે પરિણામ પામે છે” એવા પ્રવાહણરાજાના ઉત્તરથી નિશ્ચય થાય છે.” તે વચને સાંભળી તે બ્રાહ્મણે આ આઠ પ્રકારના પૂર્વપક્ષે તે વ્યાખ્યાનઉપર ર્યા“ વ્યાપક જીવાત્મા ને ઇદ્રિય અન્ય શરીરમાં
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy