________________
શ્રીબેધ.
૧૬૫ સંસ્કૃત ભાષામાં લખ્યા છે. શિષ્ટાચારને અનુસરીને આ ગ્રંથની નિર્વિને સમાપ્તિ થવા આ ગ્રંથનો પ્રારંભ કરતા પહેલાં તેઓશ્રી પિતાના શ્રીસદ્ગુરુને નમસ્કાર કરવારૂપ મંગલાચરણ કરી પછી તત્વબોધનામને ગ્રંથ રચવાની પ્રતિજ્ઞા કરે છે –
वासुदेवेन्द्रयोगीन्द्रं, नत्वा ज्ञानप्रदं गुरुम् । मुमुक्षूणां हितार्थाय, तत्वबोधोऽभिधीयते ॥ १॥
જ્ઞાન આપનારા વાસુદેવેંદ્રગીંદ્ર ગુરુને નમસ્કાર કરીને મુમુક્ષુઓના હિતને માટે તત્ત્વબેધ કહેવાય છે.
મને અંતરાત્માથી અભિન્ન બ્રહ્મસ્વરૂપને ઉપદેશ કરનારા વાસુ- . દેવથી (સર્વમાં રહેલા બ્રહ્મથી) અભિન્ન ઈદરૂપ (પ્રત્યતત્ત્વરૂપઅંતરાત્મારૂપ) ને ભેગીઓમાં શ્રેષ્ઠ શ્રીગોવિંદગુરુને બહુમાન ને પરમપ્રીતિથી પ્રણામ કરીને મંદબુદ્ધિવાળા સર્વ મુમુક્ષુઓના કલ્યાણને માટે આ તત્ત્વબોધનામનો લઘુ કિરણ ગ્રંથ તેમના પ્રારબ્ધથી વેગ પામેલી અંતઃકરણની વૃત્તિવડે પ્રતિપાદન કરાય છે. ૧. - હવે તત્વના વિવેક પ્રકાર કહેવાની પ્રતિજ્ઞા કરે છે –
साधनचतुष्टयसंपन्नाधिकारिणां मोक्षसाधनभूतं तत्त्वविवेकप्रकारं वक्ष्याम: ॥
ચાર સાધનથી સંપન્ન અધિકારીઓના મેક્ષના સાધનભૂત તત્ત્વવિવેકને પ્રકાર કહીએ છીએ.
ચાર સાધનથી સંપન્ન-વિવેક, વૈરાગ્ય, સમાદિ છ સંપત્તિ, ને મુમુક્ષતા જેમનું વર્ણન હવે પછી થવાનું છે તે ચાર સાધનોથી યુક્ત. તત્વવિવેકનો-આત્મારૂપ નિત્ય વસ્તુના વિવેકન.
હવે ચાર સાધનનાં નામ કહે છે