________________
શ્રી આત્મબેધ. ગાળેલું તેનું પિતામાં રહેલા સર્વ મલથી મોકળું થઈ પ્રકાશે છે તેમ. ૬૬.
એ આત્મા કયાં પ્રકટ થઈને શું કરે છે તે જણાવે છે – हृदाकाशोदितो ह्यात्मा, बोधभानुस्तमोऽपहृत् । सर्वव्यापी सर्वधारी, भाति सर्व प्रकाशते ॥ ६७ ॥
હુદયાકાશમાં ઉદિત થયેલ આત્માના જ્ઞાનરૂપી સૂર્ય અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે છે, તે પ્રકાશે છે, અને સર્વને પ્રકાશે છે, તે સર્વવ્યાપક ને સર્વને ધારણ કરનાર છે.
વિવેકીના હૃદયરૂપ આકાશમાં ઉદય પામેલે આત્માના જ્ઞાનરૂપ સૂર્ય તેના હદયમાં રહેલા અજ્ઞાનરૂપ અંધકારને દૂર કરે છે, પિતે પ્રકાશે છે, અને અન્ય સર્વને પ્રકાશ કરે છે. હૃદયમાં રહ્યા છતાં પણ તે પરિચ્છિન્નનથી, કિંતુ સર્વવ્યાપક ને સર્વને ધારણ કરનાર છે. ૬૭.
આત્મારૂપી તીર્થ મુમુક્ષુને સેવવાયેગ્ય છે એમ કહે છે – दिग्देशकालाद्यनपेक्षसर्वगं, शीतादिहृन्नित्यसुखं निरंजनम् । यःस्वात्मतीर्थभजते विनिष्क्रियः, स सर्ववित्सर्वगतोऽमृतो भवेत् ॥
. इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यश्रीमच्छंकराचार्यविरचितः श्रीआत्मबोधः संपूर्ण: ॥ ८ ॥
* જે અત્યંત અકિય પુરુષ દિશા, દેશ અને કાલાદિની અપેક્ષાવિનાનું, સર્વવ્યાપક, શીતલતા આદિને દૂર કરનારું, નિત્યસુખરૂપ ને અવિદ્યારૂપ મલથી રહિત પોતાના આત્મારૂપ તીર્થને ચિત્તની એકાગ્રતાવડે સેવે છે, તે પુરુષ સર્વજ્ઞ, સર્વવ્યાપક અને અવિનાશી થાય છે.
જે શરીર, ઇતિ અને અંતઃકરણની ક્રિયાના અભિમાનથી રહિત પુરુષ બીજે તીર્થોની પેઠે દિશા, દેશ અને કાલ આદિની