SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનપંચકાદિ સ્તોત્ર તેવા અધિકારીઓ પર નિહેતુક કૃપા કરીને રચ્યાં. ઉપર જણાવેલાં ભાગે તેઓશ્રીએ પિતાના એગ્ય શિષ્યોને શીખવ્યાં. તે વેલા જે શિષ્યો સાથે હતા તેમાં સનંદન વધારે યોગ્યતાવાળા હોવાથી તેમને શકરભગવાને તે ભાગ્યે એકથી વધારે વાર ભણુવ્યાં. આ કારણથી બીજા શિષ્ય પિતાના અંત:કરણની અપકવતાથી સનંદનની ઈર્ષા કરવા લાગ્યા. પુરુષને શરણે આવ્યા છતાં તથા જીવનને ઉદેશ નક્કી કર્યા છતાં પણ ઘણા હીનભાગીઓ પિતાના દુષ્ટ મનેવિકારેને વશ વર્તવા રાકતા નથી એનું આ પ્રસિદ્ધ ઉદાહરણ છે. શ્રીશ કરે કાઈ વેલા કનિષ્ઠાધિકારી શિષ્યોને સનંદનના હૃદયની યોગ્યતા દેખાડી તેમના હૃદયમાં બળતા ઈષ્યરૂપ અગ્નિને શાંત કરવાની ઇચ્છા કરી. પછી એક દિવસે જ્યારે બધા શિષ્યો શ્રીગંગાને સામે કાંઠે ભ્રમણ કરતા હતા ત્યારે શકરભગવાને સર્વ શિષ્યોને વેલાસર પોતે વિરાજતા હતા તે કાંઠે પિતાની સમીપ આવવા માટે હાંક મારી. અન્ય શિષ્ય હેડી, ત્રાપ કે કઈ લાકડાની શોધ માટે ચાલ્યા. સનંદન તે પ્રયત્ન નહિ કરતા જે સદ્દગુરુની ભક્તિ અપારજેવો જણાતો આ ભવસાગર તારવા સમર્થ છે તે ભક્તિ શું મને આ નાની નદી તારવા સમર્થ નહિ થાય ? અવશ્ય થશેજ. આ વિચાર કરી શ્રીસદ્દગુરુનું પરમપ્રેમથી ધ્યાન ધરી તેજ પ્રેમાવેશમાં શ્રીગંગાપર ચાલવા લાગ્યા. શ્રીગંગાએ તેમની અગાધ ગુરુભક્તિથી પ્રસન્ન થઈ તેમના પગને આધાર આપવા સ્થલે સ્થલે તેમના પગ નીચે સોનાનાં કમલ ઉપજાવ્યાં. સનંદન સુખપૂર્વક શ્રીગંગા ઊતરી પિતાના સદ્દગુરુ જ્યાં વિરાજતા હતા ત્યાં આવ્યા, ને તેમણે પોતાના શ્રી સદ્દગુરુના ચરણકમલમાં દંડવત્રણામ કર્યા. પછી બીજા શિષ્ય હોડી આદિ સાધન વડે શ્રી ગગા ઊતરી પિતાના સદ્દગુરુની સમીપ આવ્યા. તેમણે જ્યારે સનંદનની ગુરુભક્તિની અને શ્રી ગગાએ કરેલા સાહાયની વાત
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy