SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. નિત્યશુદ્ધ, નિત્યવિમુક્ત, એક, અખંડાનંદ, અદ્વિતીય, સત્ય, જ્ઞાન ને અનંતરૂપ જે પરબ્રહ્મ છે તે જ હું છું. | સર્વદા પવિત્ર, સર્વદા અત્યંતમુક્ત, એક, અખંડ આનંદરવરૂપ, અદ્રિતીય ત્રિકાલાબાધ્ય, જ્ઞાનસ્વરૂપ, તથાદેશ કાલ અને વસ્તુના પરિચ્છેદથી રહિત, જે પરબ્રહ્મ છે, તેજ પરબ્રહ્મ હું છું. બ્રહ્મના સ્વરૂપમાં અને મારા સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી. ૩૬. એવી રીતે નિરંતર કરેલી બ્રહ્મભાવના નીચે કહેલા ફલને ઉદય કરે છે – एवं निरंतराभ्यस्ता, ब्रह्मैवास्मीति वासना । . हरत्यविद्याविक्षेपान्, रोगानिव रसायनम् ॥ ३७ ॥ એવી રીતે નિરંતર અભ્યાસ કરેલી “હું બ્રહ્મજ છું” આવી વાસના અવિદ્યાના કાર્યરૂપ વિક્ષેપોને દૂર કરે છે, જેમ રસાયન રેગેને દૂર કરે છે તેમ. જેમ રસાયન નાનાપ્રકારના રોગોને દૂર કરે છે, તેમ આગળ કહેલી રીતે અંતરાયણત અભ્યાસ કરેલી “ હું બ્રહ્મજ છું ” આવી દભાવના અવિદ્યાથી ઉપજતાં ચિત્તના વિક્ષને દૂર કરે છે. ૩૭. હવે આત્માની ભાવના કેવી રીતે કરવી તે કહે છે:–– विविक्तदेश आसीनो, विरागो विजितेंद्रियः । भावदकमात्मानं, तमनन्तमनन्यधी: ॥ ३८ ॥ એકાંતદેશમાં બેઠેલ, રાગરહિત, ઇંદ્રિયેને જેણે સારી રીતે જય કરે છે એવે, આત્મભાવનામાં અનન્યબુદ્ધિવાળે તે એક અને અનંત આત્માની ભાવના કરે. વિક્ષેપ ઉપજાવનારાં પ્રાણુઓથી રહિત દેશમાં, યેય આસનઉપર પદ્માસનાદિ આસન કરીને બેઠેલો, શબ્દાદિ વિષયમાં રાગવિનાને,
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy