SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીઆત્મબોધ. * ૧૪૩ ની મનુષ્યો પિતાના અજ્ઞાનથી કર્તાપણું, ભક્તાપણું, સુખ અને દુઃખદ અંતઃકરણરૂપ ઉપાધિના ધર્મોને આત્મામાં ક૯પે છે. ૨૧. રાગાદિ બુદ્ધિના ધર્મો છે, પણ આત્માના ધર્મો નથી, એ અર્થને યુકિતપૂર્વક સમજાવે છે – रागेच्छासुखदु:वादि, बुद्धौ सत्यां प्रवर्तते । ગુ9 નાહિત તન્ન, તમાકુસ્તુ નામન: . ૨૨ / રાગ, ઈચ્છા, સુખ અને દુઃખાદિ બુદ્ધિ હોય ત્યારે પ્રવર્તિ છે, અને સુષુપ્તિમાં તને નાશ થવાથી તે જણાતાં નથી, તેથી તે બુદ્ધિનાં છે, આત્માનાં નથી. અંતઃકરણની જાગ્રત તથા સ્વપ્નાવસ્થામાં બુદ્ધિનો સદ્ભાવ હોવાથી શબ્દાદિ વિષયોમાં પ્રીતિ, અપ્રાપ્ત પદાર્થ મેળવવાની ઈચ્છા, વિધાની અનુકૂળતાથી પ્રતીત થતું સુખ, વિવાની પ્રતિકૂળતાથી પ્રતીત થતું દુઃખ, શ્રદ્ધા, અશ્રદ્ધા ને ઈર્ષાદિ ધર્મો કામ કરતા હોય એમ લેવામાં આવે છે, અને અંતઃકરણની સુષુપ્તિ અવસ્થામાં બુદ્ધિને અજ્ઞાનના અંશમાં લય થયેલો હોવાથી બુદ્ધિના વિષયોમાં અત્યંત પ્રીતિ ઇત્યાદિ ધ પ્રતીત થતા નથી, તેથી વિષયોમાં અત્યંત પ્રીતિ આદિ ધર્મો બુદ્ધિના છે, આત્માના નથી. જે તે ધર્મો આમાના હેાય તે બુદ્ધિના સદ્દભવમાં તથા અસદભાવમાં પણ તે પ્રશીન થવા જોઇએ, કેમકે આત્મા નિત્ય છે. ૨૨. હવે દૃષ્ટાંત આપીને આત્માના સ્વરૂપનું નિરૂપણ કરે છે – પ્રોડય તો, રૌયમર્યથોછાતા સ્વભાવ: વિરાનંનિત્યનિર્મઢતાવરમઃ | રરૂ I જેમ સૂર્યને પ્રકાશ, પાણીને શીતલપણું, ને અગ્નિને ઉતા સ્વભાવ છે, તેમ સત્, ચિત, આનંદ, ને નિત્ય
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy