________________
૧૪૦
શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો.
થતું નથી, પણ બુદ્ધિમાં જ પ્રતીત થાય છે, સ્વરછ પદાર્થોમાં પ્રતિબિંબની પેઠે.
| સચ્ચિદાનંદઘન આત્મા સર્વદા સર્વવ્યાપક છતાં પણ સર્વત્ર એટલે રાજસતામસ પદાર્થોમાં તેની સ્પષ્ટ પ્રતીતિ થઈ શકતી નથી, પણ રાગદ્વેષાદિ દેથી રહિત, પવિત્ર ને એકાગ્ર બુદ્ધિમાંજ તે પ્રતીત થાય છે. જેમ કાચ આદિ સ્વચ્છ પદાર્થમાં સૂર્યાદિનું પ્રતિબિંબ પડે છે, પણ તાવડી આદિ મલિનપદાર્થોમાં તેનું પ્રતિબિંબ પડી શકતું નથી તેમ. ૧૬.
આત્મા શરીરાદિમાં રહ્યા છતાં પણ તેનાથી ભિન્ન છે આ અર્થને દૃષ્ટાંત આપીને સમજાવે છે –
देहेंद्रियमनोबुद्धिप्रकृतिभ्यो विलक्षणम् । तवृत्तिसाक्षिणं विद्यादात्मानं राजवत्सदा ॥ १७ ॥
શરીર, ઈદ્રિયે, મન, બુદ્ધિ અને પ્રકૃતિથી વિલક્ષણ ને તેની વૃત્તિના સાક્ષી આત્માને સર્વદા જાણે, રાજાની પેઠે.
જેમ પિતાની સભામાં બેઠેલા રાજા તે સભામાં બેઠેલા અન્ય મનુષ્યથી વિલક્ષણ અને તેમના સાક્ષી હેઇને તેમનાથી ભિન્ન છે તેમ આત્મા પણ રડ્યૂલશરીર, દશ ઇદ્રિ, મન, બુદ્ધિ અને એ સર્વના કારણરૂપ પ્રકૃતિ, એ બધાથી વિપરીતસ્વરૂપવાળો, અને તે બધાની વૃત્તિઓનો સાક્ષી છે એમ નક્કી કરે. શરીરાદિ જડ, દશ્ય ને પરિ. પ્રણામી છે, અને આત્મા તેનાથી વિપરીતસ્વભાવવાળે એટલે ચેતન, દ્રષ્ટા ને અપરિણમી છે. વળી આત્મા થુલશરીરની બાલ્યાદિ અવસ્થાને જ્ઞાનદ્રિયોની વૃત્તિઓનો, કમેંદ્રિયોની ક્રિયાનો, મનની સંકલ્પવિકલ્પરૂપ વૃત્તિનો બુદ્ધિની નિશ્ચયરૂપ વૃત્તિનો, અને પ્રકૃતિરૂપ ગુણોના ધર્મોને સાક્ષી છે.૧૭.
ઈદ્રિયની ક્રિયાથી આત્મા ક્રિયા કરતો હોય એવી ભ્રાંતિ થાય