SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. એટલામાટે અવિદ્યાને અનાદિ સ્વીકારવામાં આવે છે. સત્ય અને , અસત્યથી ભિન્ન એટલે વર્તમાનકાલમાં પ્રતીત થાય અને ઉત્તરકાલમાં બાધ પામવાને યોગ્ય હોય તે અનિર્વચનીય કહેવાય છે. અનાદિ અને અનિર્વચનીય અવિદ્યાનો અંશ જીવની કારણરૂપ ઉપાધિ અથવા કારણ શરીર કહેવાય છે. આ શરીર સ્થલ અને સૂક્ષ્મશરીરના હેતુભૂત હોવાથી કારણુશરીર કહેવાય છે. આ ત્રણ શરીરરૂપ ત્રણ ઉપાધિથી પિતાને આત્મા ભિન્ન છે એમ પિતાના આત્મસ્વરૂપને નિશ્ચય મુમુક્ષુ કરે. ૧૩. આત્મા અન્નમયાદિ પાંચ કેશરૂપ નથી એમ જણાવે છે – पंचकोशादियोगेन, तत्तन्मय इव स्थितः । शुद्धात्मा नीलवस्त्रादियोगेन स्फटिको यथा ॥ १४ ॥ જેમ નીલવસ્ત્રાદિના ગવડે સ્ફટિક નીલા રંગને પ્રતીત થાય છે, તેમ પાંચ કેશાદિના ગવડે શુદ્ધ આત્મા. તેના તેના જે પ્રતીત થાય છે. જેમ આસમાની, રાતા અને પીળા વસ્ત્રના તથા બીજા પદાર્થોના ગવડે ધોળા રંગને સ્ફટિક તેવા તેવા રંગનો પ્રતીત થાય છે, તેમ અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય એ કેશના અથવા રડ્યૂલ, સૂક્ષ્મ અને કારણ શરીરના સંબંધવડે તે સર્વના સંગથી રહિત આત્મા તે તે કેશ અથવા તે તે શરીરના જેવો અજ્ઞાની મનુભ્યોને જણાય છે. ૧૪. વિવેકી પુણે યુક્તિવડે પાંચ કોશોથી આત્માના ભિનપણનો નિર્ણય કરવો જોઈએ એમ કહે છે – वपुस्तुषादिभिः कोशैर्युक्तं युक्त्यावघाततः । आत्मानमंतरं शुद्धं, विविच्यात्तंडुलं यथा ॥ १५ ॥ - જેમ છેતરાં આદિ ઢાંકણથી યુક્ત તંડુલને ખાંડીને.
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy