________________
શ્રીઆત્મબોધ.
૧૩૧
આત્મબોધનામનો લઘુ ગ્રંથ રચ્યો છે. તેના પહેલા લોકમાં કેવા અધિકારીને ઉદ્દેશીને આ ગ્રંથ લખ્યો છે તે બતાવ્યું છે.
तपोभिः क्षीणपापानां, शांतानां वीतरागिणाम् । । मुमुक्षुणामपेक्षोऽयमात्मबोधो विधीयते ॥ १ ॥
તપવડે જેમના પાપસંસ્કારે ક્ષીણ થઈ ગયા છે એવા, શાંત અને રાગરહિત મુમુક્ષુઓને ઉપયોગી આ આત્મબોધ વિધાન કરાય છે.
સંધ્યાવંદનાદિ નિત્યકર્મો, ગ્રહણદિ પ્રસંગે કરવાનાં શ્રાદ્ધાદિરૂપ મિત્તિક કર્મો, પાપોની નિવૃત્તિ માટે કરવામાં આવતાં કુચાંદ્રાયણદિ કર્મો, અને ભગવાનાદિ શુભકર્મોવડે, જેમના રાગદ્વેષાદિના હેતુભૂત પાપસંસ્કારે અત્યંતબલાહીન થઈ ગયા છે એવા, ક્રોધાદિ વિક્ષેપોથી રહિત અંતઃકરણવાળા, અને વિષયમાં પ્રીતિરૂપ રાગથી રહિત એવા મોક્ષને મેળવવા ઈચ્છતા પુછોને દાગ્ય આ આત્મધનામને પ્રકરણ ગ્રંથ લખાય છે. ૧..
- યજ્ઞાદિ કર્મે મુક્તિના સાધન છે, તે કર્મોનો ત્યાગ કરી મનુષ્ય આત્મજ્ઞાનની શામાટે ઇચ્છા કરે ? એમ કા થાય તો તેના સમાધાનમાં નીચેને લોક કહે છે –
बोधोऽन्यसाधनेभ्यो हि, साक्षान्त्रोक्षैकसाधनम् । पाकस्य वविज्ञानं, विना मोक्षो न सिध्यति ॥२॥
અન્ય સાધનેથી જ્ઞાન સાક્ષાત્ મોક્ષનું મુખ્ય સાધન છે, પાકનું અગ્નિની પડે. જ્ઞાનવિના મેક્ષ સિદ્ધ થતું નથી. - કર્મો અંતઃકરણના મલદષને દૂર કરે છે, અને ઉપાસના અંતઃકરણુનાવિક્ષેપનામના દેષને દૂર કરે છે, તેથી કર્મ ને ઉપાસના અંતઃ