________________
શ્રીવાયસુધા.
૭૯
| * * * * * * * * * * * * * * * * * * - - - -
- - , -
v vvvvvv -
૧
૧, ૧ + અv vv
ભિન્ન નથી, તેમ અંતઃકરણરૂપ ઉપાધિથી આત્મા, બ્રહ્મથી ભિન્ન હેય એમ જણાય છે, પણ વસ્તુતાએ તે બ્રહ્મથી ભિન્ન નથી. ૩૩.
તેમાં પહેલે આવ પારમાર્થિક છે એમ કહ્યું તેનું કારણ કહે છે – अवच्छिन्नस्य जीवस्य तादात्म्यं ब्रह्मणा सह ।। तत्त्वमस्यादिवाक्यानि जगुर्नेतरजीवयोः ॥ ३४ ॥
અવચ્છિન્ન જીવનું બ્રહ્મની સાથે તાદામ્ય તે તું છે ઈત્યાદિ વા કહે છે, બીજા બે જીવનું નહિ.
અંતઃકરણરૂપ ઉપાધિવડે વિભાગ પામેલા જવના લક્ષ્યાર્થનેઆત્માને-બ્રહ્માની સાથે અભેદજ છે એમ તે તું છે, પ્રજ્ઞાન બ્રહ્મ છે, આ આત્મા બ્રહ્મ છે, હું બ્રહ્મ છું, આ ઉપનિષદનાં મહાવા કહે, છે. ચિદાભાસ ને સ્વપ્નકલ્પિત આ બે જેવો કલ્પિત હોવાથી તેને બ્રહ્મની સાથે અભેદ છે એમ એ મહાવાક્યો કહેતાં નથી. ૩૪.
તે બેનું મિથ્યાપણું કેવી રીતે છે એમ જાણવાની ઇચ્છા થાય તે કહે છે –
ब्रह्मण्यवस्थिता माया विक्षेपावृतिरूपका। - आवृत्याखण्डतां तस्मिञ्जगजीवी प्रकल्पयेत् ॥ ३५ ॥
આવરણવિક્ષેપરૂપવાળી માયા બ્રહ્મને આશરે રહેલી છે. તેના અખંડપણને ઢાંકીને તે જગત્ ને જીવ કપ છે.
આવરણ તથા વિક્ષેપરૂપ સ્વભાવવાળી માયા સચ્ચિદાનંદરૂપ બ્રહ્મને આશરે રહેલી છે. તે માયા તે બ્રહ્મમાં રહેલા સ્વાભાવિક અખંડપણને ઢાંકીને તે બ્રહ્મમાં જગતરૂપ અનેક પ્રકારના ભગ્યને તથા જીવ૨૫ અનેક પ્રકારના ભક્તાઓને પ્રતીતિ કરાવે છે. ૩૫.
હવે જવ તથા જગતના સ્વરૂપને કહે છે –