________________
શ્રીવાક્યસુધા.
રીપણું કહીને હવે વિક્ષેપશક્તિપ્રધાન અજ્ઞાનને લીધે જ બ્રહ્મનું સંસાર સહિતપણું છે એમ જણાવે છે –
सर्गस्य ब्रह्मणस्तद्वद् भेदमावृत्य तिष्ठति । ચા શરિરતા રાજુ વિતāન મારતે ૨૮
તેમ જે શક્તિ જગના ને બ્રહ્મના ભેદને ઢાંકીને રહે છે, તે શક્તિને લીધે બ્રહ્મ સંસારસહિતપણા વડે પ્રતીત થાય છે.
જેમ આવરણશક્તિ આત્માના વાસ્તવિકસ્વરૂપના તથા અંતઃકરણદિના વિલક્ષણપણને ઢાંકે છે, તેમ જે વિક્ષેપશક્તિ આ જગતના ને બ્રહ્મના વિલક્ષણપણુને ઢાંકીને રહે છે, તે શક્તિના મહિમાથીજ Vઅસંગી બ્રહ્મ જગતની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયના કારણરૂપ હોય એવું પ્રતીત થાય છે. ૧૮.
પૂર્વોક્ત આવરણ દૂર થવાથી બ્રહ્મ ને જગતના ભેદની પણ નિવૃત્તિ થાય છે એમ જણાવે છે –
અજ્ઞાાતિના જ વિમાન દ્રારા . भेदस्ततो विकारः स्यात्सर्गे न ब्रह्मणि क्वचित् ॥ १९॥
અહિં પણ આવરણને નાશ થવાથી બ્રહ્મ ને જગને ભેદ પ્રતીત થતું નથી, તેથી બ્રહ્મમાં કદીપણ જગસંબંધી વિકાર નથી.
બ્રહ્મને આશરે રહેલી આવરણશક્તિરૂપ અવિદ્યાની નિવૃતિ થવાથી બ્રહ્મ આ જગતનું કારણ છે, ને આ જગત બ્રહ્મનું કાર્ય છે એ ભેદ નિવૃત્ત થાય છે. અવિધાની નિવૃત્તિ થવાથી તે વિક્ષેપની પણ નિવૃત્તિ થાય છે. એવી રીતે આ સંસારરૂપ વિકાર અજ્ઞાનવડે કલ્પિત છે, તેથી અસંગ ને અવિકારી બ્રહ્મમાં કદીપણ આ જગસંબંધી વિછિયા નથી. ૧૯,