________________
શ્રી.વિજ્ઞાનનાકા.
૫૭
લક્ષ્યાર્થ રૂપે જાણવાયેાગ્ય, કાઇ પણ પ્રકારના આકારથી રહિત, સર્વ પ્રકારની મલિનતાથી અત્યંતરહિત હાવાથી બહુ ઉજજવલ, અને વિનાશથી રહિત છે, તે નિત્ય પર બ્રહ્મ હુંજ છું.જેમ લાકડાના બનાવેલા હાથીને જ્યારે લાકડાની દષ્ટિએ બેએ છીએ ત્યારે લાકડાનીજ પ્રતીતિ થાય છે, હાથીની પ્રતીતિ થતી નથી; ને જેમ સૂર્યનાં કિરણામાં પ્રતીત થતા -ગજલને જ્યારે સૂર્યનાં કિરણેાની દૃષ્ટિએ જોઇએ છીએ ત્યારે સૂર્યનાં રાજ પ્રતીત થાય છે, મૃગજલની પ્રતીતિ થતી નથી, તે દૃષ્ટિ
તિરાધાત પામી જાય છે, તેમ જ્યારે બ્રહ્માકારવૃત્તિ કરવામાં આવે છે ત્યારે જગત્ની દૃષ્ટિ તિરાધાન પામી જાય છે. ૭. પુનઃ પ્રકારાન્તરે પેાતાના બ્રહ્મસ્વરૂપનું પ્રતિપાદન કરે છે:यदानन्दसिन्धौ निमग्नः पुमान्स्यादविद्याविलासः समस्तप्रपंच: । तदा न स्फुरत्यद्भुतं यन्निमित्तं, પરં બ્રહ્મ નિત્યં તરૂંવામિ ॥ ૮॥ પુરુષ જ્યારે આનંદસાગરમાં નિમગ્ન થાય છે ત્યારે અવિદ્યા ને તેના કાર્યરૂપ સમગ્ર પ્રપંચ પ્રતીત થતા નથી, અને જે અદ્દભુત નિમિત્તરૂપ નિત્ય પર બ્રહ્મ સ્ફુરે છે, તે હુંજ છું.
બ્રહ્માનુભવી પુરુષ જે વેલા બ્રહ્મરૂપ આનંદસાગરમાં અભેદભાવે પુી ગયાજેવા થાય છે તે વેલા અનિચનીય અવિદ્યા ને તેના પરિણામરૂપ આ નામરૂપક્રિયાત્મક સમસ્ત સંસાર બ્રહ્મથી ભિન્નરૂપે પ્રતીત થતા નથી, પણ બ્રહ્મમાંજ -વિલીન થઈ ગયેલા અનુભવાય છે, અને જે અદ્ભુત–કળી ન શકાય એવા-વિવર્તીપાદાનકારણરૂપ અવિનાશી પર બ્રહ્મ અભેદભાવે અનુભવાય છે, તે પર બ્રહ્મ હુંજ છું, દેહાદિ હું