________________
પૂજ્યચરણ શ્રી શંકરભગવાનું
સંક્ષિપ્ત જીવનચરિત્ર.
દેહરા પરમતત્વ માયાવિષે, પ્રતિબિંબિત જવ થાય; ત્યારે ચેતન શુદ્ધ તે, પરમશિવ કહેવાય. ૧ જન-અજ્ઞાનર નિવારવા, લાવી દયા મનમાંય, આદ્ય શંકરાચાર્ય થઈ, તે પ્રકટયા જગમાંય. ૨
પુજયયણ આચાર્યભગવાનનાં સંસ્કૃત ભાષામાં ચાર જીવનચંધેિ છે. શ્રીઆનંદગિરિકત, શ્રીમદ્દવિદ્યારણ્યસ્વામિકૃત, ચિદ્વિલાયત ને દાદમિશ્રત. તેમાં શ્રીમદ્દ વિદ્યારણ્યસ્વામિકૃત સંક્ષેપશંકરવિજય
૧ શ્રદક્ષિણામૂર્તિ. ૨ અધિકારી મનુષ્યના અજ્ઞાનને દૂર કરવા. અજ્ઞાનને દૂર કરવાથી સર્વ દુઃખ દૂર થાય છે, કેમકે અજ્ઞાનથી જ સર્વ દુઃખ કૅપજે છે. અજ્ઞાનથી ભેદજ્ઞાન, ભેદજ્ઞાનથી અનુકૂલતાનું ને પ્રતિકૂલતાનું જ્ઞાન, અનુકૂલતાના ને પ્રતિકૂલતાના જ્ઞાનથી રાગદ્વેષ, રાગદ્વેષથી અભિમાનપૂર્વક ધર્મધર્મમાં પ્રવૃત્તિ, અભિમાનપૂર્વક ધર્માધર્મમાં પ્રવૃત્તિ કરવાથી ચિત્તમાં ધર્મધર્મના સંસ્કારનું પડવું, ચિત્તમાં ધર્માધર્મના સંસ્કાર પડવાથી જીવાત્માનું સ્થલશરીરની સાથે જોડાવું, અને જીવાત્માનું સ્થૂલશરીરની સાથે જોડાવું થવાથી તેને વિવિધ રખની પ્રાપ્તિ થાય છે.