SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના અન્યથા જ્ઞાન અજ્ઞાન કહેવાય છે, જગત્ બ્રહ્મમય જોવું તે વિજ્ઞાન કહેવાય છે. શુદ્ધચેતનરૂપ આત્મસ્વરૂપને સદાદિસ્વભાવવાળું જાણુવું તથા તેનાથી વિપરીત સ્વરૂપવાળા જડને એટલે માયા ને તેના કાર્યરૂપ જગતને અસાદિ સ્વભાવવાળું જાણવું તેને બુદ્ધિમાન પુસ્બા નાન કહે છે. આ લેકમાં એક પ્રકારની વસ્તુને ખીજે પ્રકારે જાણવી તે અજ્ઞાન કહેવાય છે. દેહાદિ જડ પદાર્થને આત્મરૂપે જાણવાં તથા બ્રહ્મને જંગ પે જાણવું તે પણ અજ્ઞાન છે. આ પ્રતીત થતું નામરૂપક્રિયાવાળું જગત્ વસ્તુતાએ તપદના લક્યા બ્રહ્મરૂપ છે એમ અનુભવવું તે વિજ્ઞાન કહેવાય છે. ૪૭. હુવે વૃત્તિથી ઉપજેલા જ્ઞાનના તથા વિજ્ઞાનના ભેદ કહે છેઃअन्वयव्यतिरेकाभ्यां सर्वत्रैकं प्रपश्यति । यत्तन्तु वृत्तिजं ज्ञानं विज्ञानं ज्ञानमात्रकम् ॥ ४८ ॥ અન્વય અને વ્યતિરેકવર્ડ સર્વત્ર એકને જે જ્ઞાન જુએ છે તે જ્ઞાન તા વૃત્તિથી ઉપજેલું છે, અને જ્ઞાનમાત્ર વિજ્ઞાન છે. આત્માથી અભિન્ન બ્રહ્મના અન્વયવડે અને જડ જગતના વ્યતિરેકવડે સર્વ જગતમાં એકજ અદ્વિતીયતત્ત્વને જે જ્ઞાન નુએ છે તે જ્ઞાન અંતઃકરણની વૃત્તિથી ઉપજેલું છે, અને વૃત્તિભાગ મૂકી દેતાં જે કુલ જ્ઞાન રહે છે તે વિજ્ઞાન વા નિરુપાધિક જ્ઞાન કહેવાય છે. ૪૮, વળી અન્ય રીતે નાનાદિના સ્વરૂપને કહે છે:अज्ञानध्वंसकं ज्ञानं विज्ञानं चोभयात्मकम् । ज्ञानविज्ञाननिष्ठेयं तत्सद् ब्रह्मणि चार्पितम् ॥ ४९ ॥ અજ્ઞાનને નિવૃત્ત કરનારું જ્ઞાન છે, અને વિજ્ઞાન ઉભયરૂપ છે; આ જ્ઞાનવિજ્ઞાનની નિષ્ઠા તે સપ બ્રહ્મમાં અર્પિત છે.
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy