SearchBrowseAboutContactDonate
Page Preview
Page 803
Loading...
Download File
Download File
Page Text
________________ સકામ કે નિષ્કામ જેવી સાપેક્ષતા કે દ્વંદ્વ પણ રહેતાં નથી. તેવી નિદ્વંદ્વ અને વિક્ષેપરહિત, કામનાશૂન્ય સ્થિતિ જ સાચું મૌન છે. તેવા તાત્ત્વિક મૌનમાં સ્થિતિ થવી એ જ શાશ્વત શાંતિનું અલૌકિક સુખ' છે. નિષ્કર્ષમાં, જેણે આત્માનું સ્વરૂપ અભેદભાવે જાણ્યું છે, આત્માનંદનો આસ્વાદ ચાખ્યો છે, એવા બ્રહ્મજ્ઞાની માટે વાસનારહિત સ્થિતિ જ તત્ત્વાર્થે મૌન અવસ્થા છે. તેવી મૌન સ્થિતિ સિવાય અન્ય કાંઈ પણ ઉત્કૃષ્ટ સુખનું સાધન નથી. માટે તું વાસનાશૂન્ય મૌનને ધારણ કરવાવાળો થા. (છંદ-અનુષ્ટુપ) गच्छस्तिष्ठन्नुपविशञ्छयानो वाऽन्यथाऽपि वा । यथेच्छया वसेद् विद्वानात्मारामः सदा मुनिः ॥५-२६॥ विद्वान् मुनिः गच्छन् तिष्ठन् उपविशन् शयानः वा अन्यथा अपि वा सदा यथेच्छया आत्मारामः वसेत् प्रतिबद्धवृत्तेः ૭૮૬ = - = વિદ્વાન મુનિએ ચાલતાં, બેસતાં, ઊઠતાં, સૂતા કે જાગતાં અથવા બીજી કોઈ પણ અવસ્થામાં સર્વદા ઇચ્છાપૂર્વક આત્મામાં રમણ કરતાં રહેવું (છંદ-ઉપજાતિ) न देशकालाऽऽसनदिग्यमादिलक्ष्याद्यपेक्षा प्रतिबद्धवृत्तेः । संसिद्धतत्त्वस्य महात्मनो ऽस्ति = स्ववेदने का नियमाद्यपेक्षा ॥ ५३०॥ જેની ચિત્તવૃત્તિ નિરંતર આત્મસ્વરૂપમાં લાગી રહેલી હોય તેવાને (અને)
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy