________________
૭૮૫
परमा उपशान्तिः યત્ર નિરંતરમ્ મયાનન્દસુવમ્
= પરમ શાન્તિ છે. = જેમાં નિરંતર = અદ્વિતીય આનંદસુખ છે.
(છંદ-અનુષ્ટ્રપ) नास्ति निर्वासनान् मौनात् परं सुखकृदुत्तमम् । विज्ञातात्मस्वरूपस्य . स्वानन्दरसपायिनः ॥२८॥
विज्ञातात्मस्वरूपस्य આત્માનું સ્વરૂપ જાણનાર स्वानन्दरसपायिनः = (અને) આત્માનંદનો રસ પીનારને निर्वासनात्
= વાસના રહિત मौनात् परम् । = મૌનથી વધારે ઉત્તમ સુવતું ન ગતિ = સુખ આપનારું બીજું કાંઈ નથી.
' હે શિષ્ય! અખંડ જ્ઞાનસ્વરૂપ અને સંકલ્પ-વિકલ્પ વિમુક્ત આત્મામાં કોઈ પણ જાતની ભેદયુક્ત કલ્પના કે વિકલ્પ જાણવો તે આકાશમાં નગરની કલ્પના કરવા જેવું છે. માટે અદ્વિતીય આત્મસ્વરૂપમાં સ્થિતિ કરી પરમ શાંતિને પ્રાપ્ત કરે અને તે સિવાય અન્ય વિષયો પ્રત્યે મૌન ધારણ કર.
અસત સંકલ્પ-વિકલ્પ કરાવનારી બુદ્ધિની બ્રાહ્મી સ્થિતિ જ બ્રહ્મજ્ઞાની મહાત્માની મૌન અવસ્થા છે. તે જ પરમ શાંતિ કહેવાય છે. આવી નિરંતર શાશ્વત શાંતિમાં જ અદ્વિતીય આનંદસુખનો અનુભવ થાય છે.
તે માટે તું માત્ર કાષ્ઠમૌનની વાસના ત્યાગી દે. વાણીનું મૌન તો અપરિપક્વ બાળકો માટે છે. બુદ્ધિનું બ્રહ્મભાવમાં સ્થિત થઈ બ્રહ્મરૂપ થવું જ તાત્ત્વિક મૌન કહેવાય છે. આત્મજ્ઞાન સિવાયની સર્વ ઇચ્છાઓનું ઉપશમન થવું તથા ધર્મ, અર્થ અને કામની ઉપરામ થયેલી અવસ્થા જ તત્ત્વાર્થે મૌન અવસ્થા ગણાય છે, જેમાં વાસનાવંટોળ શમી જાય છે તથા ગ્રહણ-ત્યાગ,