SearchBrowseAboutContactDonate
Page Preview
Page 758
Loading...
Download File
Download File
Page Text
________________ ७४१ કર્તવ્ય છે. પોતે પોતાના સ્વાનુભવ બળે જ પોતાનો સાક્ષાત્કાર કરીને નિઃસંદેહ સુખમય જીવન વ્યતીત કરી શકે છે. તેવો જ શાસ્ત્રનો, સંતોનો, શ્રુતિઓનો કે આપણી અમર પરંપરાનો અલૌકિક ઉપદેશ છે. | (છંદ-ઉપજાતિ) वेदान्तसिद्धान्तनिरुक्तिरेषा ब्रह्मैव जीवः सकलं जगच्च । अखंडरूपस्थितिरेव मोक्षः। રહ્યાદ્વિતીયે કુતય: પ્રમાણમ્ I૪૭૬ll વેન્તસિદ્ધાન્ત નિgિ: = આ વેદાન્ત સિદ્ધાંતની ઘોષણા છે કે નીવઃ સવાં ગત્ ૨ = જીવ અને આખું જગત ब्रह्म एव = બ્રહ્મ જ છે. अखण्डरूपस्थितिः एव = અખંડ બ્રહ્માકાર સ્થિતિ જ મોસઃ = મોક્ષ છે. ब्रह्माद्वितीये - = બ્રહ્મના અદ્વિતીયપણામાં श्रुतयः प्रमाणम् । = કૃતિઓ પ્રમાણ છે. હે શિષ્ય! તું નિર્વિવાદ, અપવાદરહિત જાણી લે કે વેદાન્તના સિદ્ધાંતનો ઉપદેશ તો એટલો જ છે કે જીવ અને સમગ્ર જગત બ્રહ્મસ્વરૂપ જ છે. તથા અખંડ બ્રાહ્મીસ્થિતિમાં નિમગ્ન રહેવું, એ જ વાસ્તવમાં મોક્ષ કહેવાય છે. બ્રહ્મના અદ્વિતીયસ્વરૂપમાં કે અભેદ બ્રહ્મતત્ત્વના ઉપદેશમાં શ્રુતિના વાક્યો જ અંતિમ પ્રમાણ છે. છાંદોગ્ય ઉપનિષદ ઉપદેશ આપે છે કે ___“ सर्वं खल्विदं ब्रह्म तज्जलानिति शांत उपासीत ।" જ્યારે મુંડકોપનિષદ સંકેત આપે છે કે “વહેવં વિશ્વ” “બ્રહ્મ જ આ વિશ્વ છે.”અને મહોપનિષદ ઐક્યદર્શન કરાવતાં સૂચવે છે કે
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy