________________
૭૧૫
અગ્નિમાં પોતાના જીવભાવનો અગ્નિસંસ્કાર કરે છે. તેથી જ્ઞાનીને હું જીવાત્મા છું તેનો ભાવ કે ભ્રાંતિ રહેતી નથી. તેથી સ્પષ્ટ છે કે સંચિત કર્મોનો સ્વામી કે માલિક કે જેના નામે સંચિત કર્મરૂપી સંપત્તિ છે તે પોતે જ બચતો નથી તો તેની સંચિત કર્મ જેવી જન્મોજન્મની ભેગી કરેલી દોલત ક્યાંથી બચી શકે? આમ, જીવભાવ અને સંચિત કર્મ બન્નેને ભસ્મ કરવાની તાકાત આત્મજ્ઞાનમાં છે માટે આત્મજ્ઞાનને અગ્નિની ઉપમા આપવામાં આવી છે. ઉપરોક્ત ચર્ચાથી સ્પષ્ટ થાય છે કે પ્રારબ્ધકર્મનો નાશ તેના સારા કે નરસા ફળ ભોગવવાથી થાય છે. જ્યારે સંચિત કર્મોનો નાશ “હું જીવ નહીં પરંતુ અજન્મા અસંગ આત્મા છું,' એવા જ્ઞાનથી થાય છે. હવે પ્રશ્ન માત્ર આગામી કર્મનો રહે છે. એવા સૌ આગામી કર્મનો નાશ, હું કર્મનો કર્તા નથી પરંતુ કર્મનો સાક્ષી કે દ્રષ્ટા છે. એવા જ્ઞાનથી થાય છે કારણ કે જે પોતાને અજ્ઞાનમાં કર્તા માને તેને જ ભવિષ્યમાં કર્મનું ફળ ભોગવવું પડે. તે ન્યાયે જે કર્મનો કર્તા નથી, તે કદાપિ કર્મફળનો ભોક્તા હોઈ શકે નહિ. જેનું દેહ સાથે તથા ઇન્દ્રિયો સાથે સઘન તાદામ્ય હોય તે જ દેહ કે ઇન્દ્રિયોનાં કર્મને પોતાના માને તો નિશ્ચિત તેને કર્મનું ફળ મળે. પરંતુ જ્ઞાની તો હું શરીર છું, એવું પણ માનતો નથી અને શરીર મારું છે, એવી ભ્રાંતિમાં પણ જીવતો નથી તો પછી જ્ઞાનીને વર્તમાનમાં થનારા આગામી કર્મનું ફળ આ જીવનમાં પણ મૃત્યુ પૂર્વે ભોગવવાનું રહેતું નથી. પછી ભલે તેના દ્વારા ગમે તેવું પાપકર્મ વર્તમાનમાં કે ભૂતકાળમાં થયું હોય પરંતુ તેનું ફળ જ્ઞાનીને કોઈ પણ હિસાબે ભોગવવાનું રહેતું નથી. માટે જ ભગવાન શ્રીકૃષ્ણચંદ્રને જ્ઞાનીની સ્તુતિ માટે કહેવું પડ્યું છે કે,
કાર રેસિ પડેઃ સર્વેઃ પાપઋત્તમઃ || | સર્વ જ્ઞાનHવેનૈવ વૃત્તિને સંતરિષ્યતિ છે”
“જો તું સઘળા પાપીઓ કરતાં પણ વધારે પાપી હોય તો પણ જ્ઞાનરૂપી નૌકા દ્વારા બધાં જ પાપોને સારી રીતે તરી જઈશ.” (ભ.ગીતા. અ-૪/૩૬)
આવી ચર્ચાનો નિષ્કર્ષ એટલો જ છે કે જે કોઈ જ્ઞાની જીવબ્રહ્મના