________________
૭૦૫
તેમને બાહ્યવિષયોમાં રસ હોય અને લૌકિક પ્રવૃત્તિમાં જો તેઓ ભાગીદાર હોય તો તેઓ જ્ઞાની કેમ કહેવાય? એવી શંકાના સમાધાનાર્થે શ્રુતિ કે ઉપનિષદ જણાવે છે કે તેવા સૌ જ્ઞાનીઓ આ જન્મ જ્ઞાની છે, તેમાં કોઈ સંદેહ નથી છતાં તેમની બહારના વિષયોમાં જે પ્રવૃત્તિ જોવામાં આવે છે તે તો તેમને જ્ઞાન થતાં પૂર્વે તેમના પ્રારબ્ધ દ્વારા સુનિશ્ચિત થયેલી છે. આ જન્મે તેવા જ્ઞાનીને કયા વિષયોનો ભોગ કરવો કે ક્યા કયા ફળ ભોગવવા, તે તો જન્મ થતાં પૂર્વે કર્મની ગહન ગતિ પ્રમાણે અને ફળ આપવાની ઈશ્વરની સ્વતંત્ર સત્તા પ્રમાણે સુનિશ્ચિત થયેલું હોય છે. તેથી જ્ઞાની જે કંઈ જ્ઞાન થતાં પૂર્વે નિશ્ચિત થયેલું હોય તેવા વિષયભોગનો કે બાહ્યપ્રવૃત્તિનો ઇનકાર કરી શકે નહીં. આજ શાસ્ત્રસંત શ્રુતિવિધાન છે.
-અનુષ્ટ્રપ) सुखाद्यनुभवोयावत् तावत् प्रारब्धमिष्यते ।
फलोदयः क्रियापूर्वो निष्क्रियो न हि कुत्रचित् ॥४४७॥ થાવત્ યુવાધનુમવઃ - જ્યાં સુધી સુખાદિનો અનુભવ થાય છે, તાવત્ પ્રારબ્ધમ્ = ત્યાં સુધી પ્રારબ્ધ (છે એમ) રૂથ . = કહેવાય છે.
= કારણ કે फलोदयः = (કોઈ પણ) ફળની પ્રાપ્તિ क्रियापूर्वः = પૂર્વે કરેલાં કર્મના લીધે જ છે. निष्क्रियः = કર્મ કર્યા વગર સુત્રવત્ ર = ક્યાંય પણ (ફળ જણાતું) નથી.
- જ્યાં સુધી વ્યક્તિને સુખદુઃખ જેવા અનુભવો થયા કરતા હોય ત્યાં સુધી તેવા સર્વ અનુભવો પ્રારબ્ધ કર્મના ફળરૂપે જ અનુભવાય છે, તેવું કહેવાય છે. કારણ કે જો ફળ વગર પરિણામ અનુભવાતું હોય, હાજર હોય તો કર્મના અપવાદ વગરના અંચળ નિયમને આધારે કહેવું જ પડે કે પરિણામ કે ફળની પૂર્વે કોઈ કર્મ જેવું કોઈ કારણ હોવું જ જોઈએ. તેવા કર્મરૂપી કારણ