________________
૭૦૩
કરનારા કર્મને પ્રારબ્ધ કર્મ કહેવાય છે. આવા કર્મો વર્તમાન દેહમાં વ્યક્તિને સુખ અને દુઃખ આપવામાં નિમિત્ત બને છે. આથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે પુનર્જન્મ નવા દેહની ઉત્પત્તિનું કારણ પ્રારબ્ધ કર્મ છે અને તે જ પ્રમાણે નવા જન્મેલા દેહના મૃત્યુનું કારણ પણ પ્રારબ્ધ કર્મ જ કહેવાય છે. •
જેવી રીતે ઘરમાં સંગ્રહ કરેલા સંચિત ધનમાંથી સવારે થોડા પૈસા લઈ બજારમાં ખરીદી કરવા નીકળીએ તો ખરીદી કરતાં કરતાં અને બસ કે રિક્ષાના ભાડાના પૈસા ચૂકવતાં જ્યારે પૈસા ખલાસ થઈ જાય ત્યારે પુનઃ પાછા ઘેર જવું પડે છે કારણ કે ખરીદીના કે મોજશોખ માટેના પૈસા સમાપ્ત થઈ ગયા છે. જે પૈસા ઘરની સંચિત મૂડીમાંથી લઈને આપણે બજારમાં આવ્યા છીએ તે પૈસાને પ્રારબ્ધ કર્મ સાથે સરખાવી શકાય અને કેટલાંયે મહિનાઓ કે વર્ષોથી ઘરમાં જે ધન જમા છે તેને સંચિત કર્મ સાથે સરખાવી શકાય. તે ઉપરથી સમજાય છે કે સવારથી નીકળી સાંજ સુધીમાં જે કંઈ ખરીદી કે મોજશોખ કરી સાથે લાવેલા પૈસા આપણે વાપર્યા અને તે પ્રારબ્ધરૂપી પૈસા સમાપ્ત થતાં આપણે પાછા ઘેર જઈએ છીએ અને ધારો કે બીજા દિવસે ઘરમાં પડેલા સંચિત ધનમાંથી ફરીથી થોડા પૈસા ઉપાડી ઘરની બહાર બજારમાં મોજમજા કે ખરીદી માટે જઈએ, તો નિશ્ચિત બીજા દિવસે પણ સાથે લાવેલા પૈસા સમાપ્ત થતાં ઘેર જવું એટલે જ પ્રારબ્ધ કર્મ પૂર્ણ થતાં સ્મશાનરૂપી ઘરમાં પાછા વળવા જેવું કહેવાય અને જો પ્રાત:કાળે ફરી પાછા નવા કપડાં પહેરી પુનઃ થોડા પૈસા લઈ બહાર નીકળીએ તો તે આપણો નવા શરીર સાથેનો પુનર્જન્મ કહેવાય અને સાથે લીધેલા પૈસા જ આપણું પ્રારબ્ધ કર્મ કહેવાય. આમ, જીવાત્મા વારંવાર સંચિતકર્મમાંથી થોડાં પરિપક્વ થયેલાં કર્મોને લીધે જ તે ભોગવવા માટે જન્મે છે અને તેવા પ્રારબ્ધ કર્મોનો ભોગ પૂરો થતાં મૃત્યુ પામી પુનઃ વધુ કર્મો લેવા પાછો સંચિત કર્મ તરફ દોડે છે. આમ, જીવાત્માના જન્મ અને મૃત્યુનું ચક્ર અવિરત રીતે સંચિત કર્મ હોય ત્યાં સુધી ચાલુ જ રહે છે.
પ્રારબ્ધ કર્મ તો જીવાત્મા જન્મ્યો ત્યારથી સાથે લઈને આવ્યો