SearchBrowseAboutContactDonate
Page Preview
Page 714
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ તો કઈ અને કેવી તૃપ્તિ માટે તે વિષયભોગની કામના પાછળ સંતપ્ત થાય? बाह्यप्रत्ययः ईक्ष्यते एतस्य (છંદ-અનુષ્ટુપ) निदिध्यासनशीलस्य बाह्यप्रत्यय ईक्ष्यते । ब्रवीति श्रुतिरेतस्य प्रारब्धं फलदर्शनात् ॥ ४४६॥ નિવિધ્યાસનશીતસ્ય = નિદિધ્યાસનમાં નિમગ્ન (પુરુષ) બહારના વિષયોમાં (પ્રવૃત્ત થતો) જોવામાં આવે છે. (તે) તેનું (બ્રહ્મનિષ્ઠનું) प्रारब्धम् फलदर्शनात् श्रुतिः ब्रवीति * = 60-23 • = = = પ્રારબ્ધ છે એમ કર્મફળને જોતાં શ્રુતિ કહે છે. = પ્રારબ્ધકર્મ વિવેચન આદિ શંકરાચાર્યજી, જીવન્મુક્તના વિશદ લક્ષણોની ચર્ચા કર્યા બાદ, હવે કર્મની ગહન ગતિનો ઉકેલ સમજાવવા માટે પ્રારબ્ધકર્મની સૂક્ષ્મ વિચારણા ઓગણીસ શ્લોક દ્વારા આરંભે છે. શ્રીકૃષ્ણ પરમાત્માએ ભગવદ્ ગીતા દ્વારા મનુષ્ય માત્રના વણઉકલ્યા કોયડાનો ઉકેલ સમજાવવા તથા અનાદિકાળથી ચાલી આવતી માનવીની મૂંઝવણોનું કે શંકાઓનું સમાધાન આપવા અધ્યાય એક થી છ દ્વારા કર્મયોગના અનુસંધાનમાં વિચારણા કરી છે અને તેમાં કર્મસંદેર્ભે ઉલ્લેખ કર્યો છે કે “હના ર્મળો ગતિઃ” [ભ.ગીતા.અ-૪/૧૭] ‘કર્મની ગતિજ્ઞાન અતિગહન છે' માટે પ્રત્યેક મુમુક્ષુએ “ર્મળો પિ વોશ્વવ્યમ્” [ભ.ગીતા.અ-૪/૧૭] ‘કર્મનું તત્ત્વ પણ જાણવું જોઈએ.' આવા કર્મના તત્ત્વને જાણવા માટે સ્વયં ભગવાને જો ઉપદેશ આપ્યો હોય તો આપણે પણ કર્મની તાત્ત્વિક વિચારણા કરવામાં શ્રદ્ધા અને નિષ્ઠાથી બળબુદ્ધિપૂર્વક પ્રયત્ન
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy