________________
૯૯૫
પામે છે. તેથી સ્પષ્ટ છે કે સંસારી દષ્ટિવાળાને સંસારથી અન્ય કોઈ દેશ્ય નથી અને જ્ઞાનમય બ્રાહ્મીદષ્ટિવાળાને સંસાર તો કોઈ પણ કાળે દશ્ય થતો નથી પરંતુ નિરંતર બ્રહ્મદર્શન જ થયા કરે છે.
| (છંદ-અનુષ્ટ્રપ) प्राचीनवासनावेगादसौ संसरतीति चेत् ।
न सदेकत्वविज्ञानान्मन्दीभवति वासना ॥४४४॥ બાવીનવાસના - પૂર્વ (જન્મની) વાસનાના વેગથી
= આ (જ્ઞાની પુરુષ) સંસતિ
= સંસારમાં પ્રવૃત્ત થાય છે. . રૂતિ વેત્ ન = જો એમ કહેતા હો તો તે યોગ્ય નથી.
(કારણ કે) સત્ વત્વ વિજ્ઞાનનું = જીવ-બ્રહ્મનું ઐક્યજ્ઞાન જ સરૂપે જણાય છે. वासना
= (તેની) વાસના (બાધિત થવાથી) મની મતિ = મન્દ (નિષ્ક્રિય) થઈ જાય છે.
असौ
* આત્મજ્ઞાની પુરુષ પૂર્વજન્મની વાસનાના વેગથી સંસારના કર્મોમાં પ્રવૃત્ત થાય છે, એમ જો કોઈ કહે તો તે સત્ય નથી કારણ કે જીવ અને બ્રહ્મના ઐક્યજ્ઞાનથી તેને સંબ્રહ્મતત્ત્વ સિવાય અન્ય કંઈ જ જણાતું નથી અને તેવા જ્ઞાનાગ્નિમાં વાસનાનો બાધ થાય છે તેથી વાસના મંદ કે નિષ્ક્રિય થઈ જાય છે. અર્થાત્ જ્ઞાનકાળે વાસનાની સ્થિતિ શેકેલા બીજ જેવી થઈ જાય છે. કારણ કે જેમ શેકેલા બીજમાં પ્રજનનશક્તિ હોતી નથી અને તેથી તેવા બીજને અંકુર ફૂટતા નથી તેમ આત્મજ્ઞાનમાં બળેલી વાસનાને જ અત્રે મંદ વાસના કહી છે. અર્થાત્ તેવી વાસનામાં કર્મની પ્રસૂતિ કરાવવાની ન તો તાકાત હોય છે કે ન તેવા વાસનાબીજમાંથી કર્મના અંકુર ફૂટી શકે છે. તેથી જ્ઞાની પૂર્વજન્મની વાસનાથી કર્મ કરે છે, તેવું કહેવું સત્યથી વેગળું અને વાહિયાત છે. જેવી રીતે અગ્નિમાં બળેલી કાથીની દોરી રખ્યા થયેલી હોય છતાં તે વળ નથી મૂકતી અને દેખાવે તો દોરી જેવી જ હોય છે, છતાં બળેલી દોરીમાં