________________
૬૮૭
(છંદ-અનુષ્ટ્રપ) ब्रह्मानन्दरसास्वादासक्तचित्ततया यतेः ।
अन्तर्बहिरविज्ञानं जीवन्मुक्तस्य लक्षणम् ॥४३६॥ રહાનન્દરસાસ્વાદ્રિ–માસવત્ત-વિજ્ઞતયા = બ્રહ્માનંદરસના આસ્વાદનમાં
લીન થયેલા ચિત્તથી अन्तः-बहिः-अविज्ञानम् = અંદર અને બહારના પદાર્થોનું
જ્ઞાન ન થવું તે जीवन्मुक्तस्य यतेः लक्षणम् = જીવન્મુક્ત સંન્યાસીનું લક્ષણ છે.
બ્રહ્માનંદનો આસ્વાદ લેવામાં આસક્ત થયેલા યતિના ચિત્તને અંદર કે બહારની કોઈ પણ વસ્તુનું જ્ઞાન ન થવું તે જીવન્મુક્તનું લક્ષણ છે. જીવન્મુક્ત પુરુષને અભેદદષ્ટિ પ્રાપ્ત હોવાથી અંદર અને બહાર જેવું અથવા સૂક્ષ્મ અને ધૂળ જેવું સાપેક્ષતત્વ જણાતું નથી. તે તો પોતાના અખંડ નિરપેક્ષ આત્મતત્ત્વમાં નિમગ્ન છે અને ભેદદશ ચિત્તનો તેણે આત્મામાં આત્યંતિક લય કર્યો છે. તેથી અંદર-બહાર, આગળ-પાછળ, ઉપર-નીચે કે આજુ-બાજુ પોતાનાથી અન્ય કંઈ છે તેવી ભ્રાંતિથી મુક્ત હોવાને કારણે જ તેને જીવન્મુક્ત કહેવાય છે.
(છંદ–અનુષ્ટ્રપ) देहेन्द्रियादौ कर्तव्ये ममाहंकारवर्जितः ।
औदासीन्येन यस्तिष्ठेत् स जीवन्मुक्त इष्यते ॥४३७॥ देहेन्द्रियादौ = દેહ-ઇન્દ્રિયો વગેરેમાં कर्तव्ये
= કર્તવ્યમાં મમદિંર વર્જિતઃ = મમતા અને અહંકાર વિનાનો થઈને ગોવાલીન : તિષ્ઠત્ = ઉદાસીનભાવે જે રહે છે. સઃ નવજુવઃ પુષ્ય = તે જીવન્મુક્ત કહેવાય છે.