SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૬ फलानुभूत्या = કર્મફળના અનુભવકાળે જણાનારું पुंसः छाया इव = પુરુષના (પોતાના) પડછાયા જેવું शववत् = શબ જેવું (અને) મામાસરૂપે પરિદૃશ્યમાનમ્ = આભાસરૂપે ભાસતું જાણીને ગીર નિતમ્ = (તેને) અત્યંત દૂર કર્યા બાદ મહાત્મા પુનઃ ન સંઘૉ = મહાત્મા પુનઃ ધારણ કરતો નથી. દેશ્યવિલય મહાત્મા પુરુષ આ શરીરને પોતાના પડછાયા જેવું, કર્મફળ ભોગવનારું, શબવત અગર આભાસરૂપે જાણીને તેને અત્યંત દૂર કરે છે. માટે તેના શરીરને કે પંચમહાભૂતના પિંડ જેવા સમૂહને પુનઃ ધારણ કરતો નથી. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે જ્ઞાનીને પુનર્જન્મ નથી. પરંતુ શા માટે પુનર્જન્મ નથી તે જાણવું મુમુક્ષુને આવશ્યક નહિ બલકે અનિવાર્ય છે. શરીરને છોડીને તો અનેક મૃત્યુ પામે છે અને મૃત્યુ પામતા જ રહે છે પરંતુ સમગ્ર વસુંધરા પર માત્ર આત્મજ્ઞાની મહાત્મા જ શરીરનો ત્યાગ કર્યા વિના શરીરને સાથે રાખીને મૃતવત થાય છે, અર્થાત્ દેહ છોડ્યા વિના મરે છે. આ એક મહાન આશ્ચર્ય નહિ પરંતુ અલૌકિક ચમત્કૃતિ છે; કારણ કે જ્ઞાની મહાત્માને પોતાના જ્ઞાનસ્વરૂપમાં નથી જન્મ કે મૃત્યુ નથી આરંભ કે અંત; તથા તેની અસંગ દષ્ટિમાં શરીર તો આરોપ માત્ર છે અને પોતે તો અચળ, અવિચળ અધિષ્ઠાન છે. જેવી રીતે ચલચિત્રના પડદા ઉપર પાત્રો જન્મ, વૃદ્ધિ પામે, ઘાયલ થાય, હણાય અને મૃત્યુ પામે છતાં પડદાને ન તો પાત્રના જન્મથી હર્ષ છે કે ન તો તેમના ઘાયલ થવાથી પડદા ઉપર લોહીના ડાઘા પડે છે, અગર ન તેવા પાત્રોનો અગ્નિસંસ્કાર થતાં તે ભસ્મ થાય છે, પડદાને ન તો અગ્નિનો સ્પર્શ છે કે રખ્યાનો રંગ છે. તે જ પ્રમાણે જ્ઞાની મહાત્માને મન, શરીર અને તેના નામ, શરીરનો જન્મ અને તેની ક્રિયાઓ, સર્વ કાંઈ પડદા ઉપરના પાત્રો જેમ આરોપિત (PROJECTED)
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy