SearchBrowseAboutContactDonate
Page Preview
Page 667
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૦ निर्विकल्पम् ब्रह्मपूर्णम् समाधौ = નિર્વિકલ્પ = પરિપૂર્ણ બ્રહ્મનો = સમાધિ અવસ્થામાં = પોતાના અંતઃકરણમાં = અપરોક્ષ અનુભવ કરે છે. कलयति પ્રસ્તુત શ્લોકમાં સમજાવ્યું છે કે વિદ્વાન સમાધિ અવસ્થામાં કેવા પ્રકારનું બ્રહ્મતત્ત્વ અનુભવે છે. જે નિત્ય જ્ઞાનસ્વરૂપ અર્થાત્ ઉદય અને અસ્તરહિત શાશ્વત ભાવસ્વરૂપ હોવાથી કેવળ આનંદરૂપ છે, ઉપમારહિત છે કારણ કે તેના જેવું અન્ય કાંઈ છે જ નહીં, તેવા કાળાતીત, સદામુક્ત, નિષ્ક્રિય, આકાશવત, અસીમ, નિરવયવી તથા નિર્વિકલ્પ પૂર્ણ બ્રહ્મનો વિદ્વાન પુરુષ સમાધિની અવસ્થામાં પોતાના હૃદયદેશમાં અપરોક્ષ અનુભવ કરે છે. અત્રે ભલે શિષ્યને નિર્વિકલ્પ સમાધિનો કે પૂર્ણબ્રહ્મનો નિર્દેશ કરવા અનેક વિશેષણો વપરાયા હોય, છતાં સમજવું કે પરબ્રહ્મ તો વાચાતીત છે, અવર્ણનીય છે, વિશેષણમુક્ત નિર્વિશેષ છે. છતાં જ્યારે બ્રહ્મનો ઉપદેશ આપવા માટે ભાષાનો અગર વાણીનો જ ઉપયોગ કરવાના સંજોગો ઊભા થાય ત્યારે વાણી સાંત હોવા છતાં, સ્વરૂપે વામણી હોવા છતાં, ભાષાની ઊણપ અને મર્યાદાઓનો સ્વીકાર કરવા છતાં, આપણે તેનો જ પ્રયોગ બ્રહ્મતત્ત્વના ઉપદેશાર્થે કરવાનો હોય છે. છતાં વિચક્ષણ આચાર્યો કે ગુરુજનો ભાષા કે વાણીનો પ્રયોગ કરી, શબ્દોને પાછા ખેંચી લેવાની કળામાં માહેર હોય છે. તેથી શબ્દનો પ્રયોગ કરવા છતાં, ભાષાને વાપરવા છતાં, વાણી દ્વારા નિર્દેશ કરવા છતાં જાણે તેવા કોઈ સાધનનો પ્રયોગ કરતાં નથી તેવું દર્શાવવા માટે ભાગે વિરોધાભાસી શબ્દોનો પ્રયોગ થાય છે. તદુપરાંત બ્રહ્મતત્ત્વ “આ જ છે' તેવું ન કહેતા, કાં તો “નેતિ નેતિ” શબ્દોનો ઉપયોગ થાય અગર બ્રહ્મ કે આત્મા કોઈના જેવો છે, દા.ત. આકાશવત, પ્રકાશવત, જળકમળવત એવું કહેવામાં આવે છે. પરંતુ સીધે સીધો પ્રત્યક્ષ પરિચય કરાવવાનું
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy