SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૦ જ એવું માને કે હું ઘડાને જોવાથી કે સ્પર્શ કરવાથી માટીને જોતો પણ નથી અને અડતો પણ નથી, પરંતુ કોઈ પણ વિવેકી, માટીથી ભિન્ન ઘડા આદિને અનુભવી શકે નહીં. તે જ પ્રમાણે જે કોઈ માયારૂપી મદિરાથી ભ્રાંત થયેલો છે અર્થાત્ અવિદ્યા દ્વારા ઉત્પન્ન થયેલી ભ્રાંતિ કે આવરણના લીધે જ પોતાના અભેદ આત્માને જાણી શકતો નથી તેવો અજ્ઞાની કે અવિવેકી જ “અને તું”, “ગદમ્ તમ્” જેવી ભેદરૂપી વાણી બોલે છે. પરંતુ હકીકતમાં જે એમ કહે છે કે હું છું તેમાં પણ આત્મતત્ત્વ છે. અને તું છે એવું જાણનારમાં પણ જ્ઞાતા તો આત્મા જ છે. તમામ નામ અને આકારોમાં સત્તા અને સ્કૂર્તિ તો આત્મતત્ત્વની જ છે, અગર વાણી અને મન દ્વારા અનુભવાતાં સંપૂર્ણ આરોપરૂપી જગતનું અધિષ્ઠાન તો માત્ર એક આત્મા જ છે અને આરોપિત જગતની જ્ઞાનકાળે નિવૃત્તિ થતાં આત્મા જ અવશેષ રહે છે. તેથી આત્મા સિવાય અન્ય કંઈ જ અસ્તિત્વ ધરાવતું નથી. કોઈ પણ નામ અને આકારને પોતાની સ્વતંત્ર, પારમાર્થિક સત્તા હોતી નથી. તેથી સ્પષ્ટ છે કે નામ, આકારવાળું પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અનુભવાતું જગત, આત્માની જ સત્તા અને સ્કૂર્તિથી જણાય છે. માટે સર્વ કાંઈ આત્મમય જ છે. શરીરને સ્પર્શ કરવાથી અજાણતાં ચૈતન્ય આત્માને સ્પર્શ તો થઈ જ જાય છે પરંતુ અવિવેકી કે અજ્ઞાની તે જાણતો નથી, જ્યારે જ્ઞાની જાણે છે. તેવો જ્ઞાની, સર્વમાં આત્માને જ જુએ છે, માટે તે સર્વાત્મદર્શી કહેવાય છે. - (છંદ-અનુષ્ટ્રપ) क्रियासमभिहारेण यत्र नान्यदिति श्रुतिः । ब्रवीति द्वैतराहित्यं मिथ्याध्यासनिवृत्तये ॥३६३॥ યત્ર ન બચત્ = “જ્યાં અન્ય કાંઈ જોતો નથી” રૂતિ કુતિઃ = એમ શ્રુતિ ક્રિયાતમમહાળ = ક્રિયારૂપ દૈતનો ઉપસંહાર કરતાં મિથ્યાધ્યાનિવૃત્ત = મિથ્યા અધ્યાસ દૂર કરવા માટે વૈતરાદિત્યમ્ = “બ્રહ્મમાં દૈતરહિતપણું” ब्रवीति = કહે છે.
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy