________________
૬૦૧
(છંદ-અનુષ્ટ્રપ) योगस्य प्रथमं द्वारं वाङ्निरोधोऽपरिग्रहः ।
निराशा च निरीहा च नित्यमेकान्तशीलता ॥३६॥ वाङ्निरोधः - વાણીને નિયમમાં રાખવી, अपरिग्रहः = કોઈ વસ્તુનો સંગ્રહ ન કરવો, निराशा च = કોઈની આશા રાખવી નહીં, निरीहा च = સર્વ ઇચ્છાઓનો પરિત્યાગ, (અને) नित्यम्
= નિત્ય एकान्तशीलता = એકાંતવાસ યોગાચ પ્રથમં કારમ્ = એ યોગનું પ્રથમ દ્વાર છે. '
યોગ નિરૂપણ - યોગની પ્રક્રિયામાં પ્રવેશ મેળવવા માટે કેવો અધિકાર જોઈએ અને કયા કયા લક્ષણોની આવશ્યકતા છે તેનો ક્રમવાર ચિતાર પાંચ શ્લોક દ્વારા સમજાવવામાં આવ્યો છે.
. વાણીને નિયમમાં રાખવી, અપરિગ્રહી થવું, કામના કે ઇચ્છાઓનો ત્યાગ કરવો અને નિત્ય એકાન્તવાસ, એ યોગનું પ્રથમ દ્વારા છે. ક્યારે બોલવું અને ક્યારે મૌન રહેવું એ એક આગવી કળા છે કારણ કે શસ્ત્રના ઘા તો સમયમાં રુઝાય છે પરંતુ શબ્દબાણ દ્વારા પડેલા ઘા વેરની વસૂલાત ન થાય ત્યાં સુધી ઝાતા નથી. તે માટે મહાભારતમાં દ્રૌપદીનું દૃષ્ટાંત ખૂબ પ્રખ્યાત છે. તેણે દુર્યોધનને માત્ર એટલું જ કહેલું કે
આંધળાના છોકરાં આંધળા જ હોય છે.” પણ તેવા શબ્દબાણથી ઘવાયેલા દુર્યોધને ભરસભામાં દ્રૌપદીને નિર્વસ્ત્ર ન કરી ત્યાં સુધી તેના ઘા રુઝાયા નહીં. આમ, વ્યવહારમાં પણ વાણીનું નિયંત્રણ ઇચ્છવા યોગ્ય છે, તો પરમાર્થમાં તેની આવશ્યકતા હોય તેમાં તો અતિશયોક્તિ નથી જ. માટે જ અત્રે વાણીનો નિરોધ મુમુક્ષુને ઉપદેશવામાં આવ્યો છે. આત્મજ્ઞાન કે મોક્ષ સંદર્ભે વિચારવું કે કોઈ પણ જાતનો વાર્તાલાપ, સંવાદ કે ભાષણ જો