________________
૫૯૭
પગથિયું જ મજબૂત ન હોય તો બીજા કે ત્રીજા પગથિયે જવાનો પ્રશ્ન જ રહેતો નથી. શ્રવણમાં જ શંકાના કાણાં હોય, તો છિદ્રોવાળું પગથિયું આગળ જતાં પૂર્વે તૂટી પડે. તેથી સમજવું કે તે મુમુક્ષુના માથા ઉપર મૂકેલા ઉપરાઉપરી ચાર ઘડા છે. તેમાં સૌથી ઉપર સમાધિ, ત્યારબાદ નીચે ઉતરતાં નિદિધ્યાસન, મનન અને શ્રવણ છે. પરંતુ મુમુક્ષુના માથા પર સૌથી પ્રથમ જે ઘડો છે તે શ્રવણનો છે અને શ્રવણરૂપી ઘડા ઉપર, ઉપરાઉપરી ત્રણ અન્ય ઘડા છે. જો શ્રવણરૂપી પ્રથમ ઘડો બરોબર ગોઠવાયેલો ન હોય તો ઉપ૨ના ત્રણેય માટલા નીચે પડે છે માટે શ્રવણનો પાયો મજબૂત હોવો જોઈએ. તો જ સમાધિની સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે. વેદાન્તશ્રવણ, આચાર્ય કે સદ્ગુરુની કૃપાએ તેમના સાંનિધ્યમાં થતું હોય ત્યારે, આત્માના સ્વરૂપ વિષેની અને સાધન કે સાધનાના સંદર્ભમાં ઉઠતી શંકાઓનું સમાધાન થાય છે અને શ્રદ્ધા પ્રબળ બને છે. પરંતુ ચિત્તને એક દિશામાં સ્થિર રાખી, એકતાનતા પ્રાપ્ત કરવા માટે વિચારોનું સાતત્ય આવશ્યક છે. જે મનન દ્વારા શક્ય છે. મનનમાં અન્ય કોઈની હાજરી નહીં હોવાથી અને ઓછી ઇન્દ્રિયો કાર્યશીલ હોવાથી, વધુ એકાગ્રતા જોવા મળે છે. ઉપરાંત, માત્ર ચિત્ત કે મન જ આત્માના વિચારમાં કે સ્વસ્વરૂપના સંશોધનમાં સંલગ્ન થયું હોવાથી, ત્યાં અનુભવનું ક્ષેત્ર સીમિત બને છે. માટે વિચારોનો પ્રવાહ માત્ર આત્મદિશામાં સહેલાઈથી આગળ વધી શકે છે અને વિક્ષેપો ધીરે ધીરે ઘટતા જાય છે. માટે કહ્યું છે કે શ્રવણ કરતા મનન, આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે સો ગણું ઉત્તમ છે.
“મનનાવપિ નિવિધ્યામં તક્ષકુળ (વિદ્યાત)” આત્મસ્વરૂપનું મનન કે ચિંતન, શ્રવણની સરખામણીએ શ્રેષ્ઠ ખરું, પરંતુ મનન કરતાં નિદિધ્યાસન લાખ ગણું ઉત્તમ છે. ચિંતન કે મનન દ્વારા નિઃસંદેહ એકાગ્રતા વધે છે. આત્મસ્વરૂપ તરફની નિશ્ચિત દિશા નક્કી થાય છે, વિચારોના સાતત્યમાં વૃદ્ધિ થાય છે, છતાં વિજાતીય વૃત્તિપ્રવાહને રોકવા માટે અથવા અનાત્માના વિચારોની નિવૃત્તિ માટે નિદિધ્યાસન અનિવાર્ય સાધન છે. નિદિધ્યાસનમાં સજાતીય વૃત્તિપ્રવાહની અર્થાત્ માત્ર આત્માના જ વિચારોની અસ્ખલિત