SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૬ તેનું કારણ માયા જ જો અસત કે મિથ્યા હોય તો તેનું કાર્ય કદાપિ તેથી વિપરીત ન હોય. માટે અહંકારથી દેહ સુધીનું સર્વ વિકારી કાર્ય ક્ષણે-ક્ષણે પરિવર્તનશીલ હોવાથી મિથ્યા છે પરંતુ આત્મા તેવા પરિવર્તનશીલ કાર્યનો સાક્ષી હોવાથી પોતે અપરિવર્તનશીલ સત્ય છે. | (છંદ-ઉપજાતિ). नित्याद्वयाखण्डचिदेकरूपो बुद्धयादिसाक्षी सदसद्विलक्षणः । अहंपदप्रत्ययलक्षितार्थः प्रत्यक्सदानन्दघनः परात्मा ॥३५२॥ परात्मा = પરમાત્મા નિત્ય = નિત્ય, મલય અદ્વિતીય, = અપરિચ્છિન્ન, चिदेकरूपः જ્ઞાનસ્વરૂપ, बुद्धयादि साक्षी = બુદ્ધિ વગેરેનો સાક્ષી, સત્સ -વિસનઃ સત અને અસતથી વિલક્ષણ સદં–પ-પ્રત્યય–સંક્ષિતાર્થ = “હું એવા શબ્દનો અને જ્ઞાનનો લક્ષિતાર્થ प्रत्यक् = દરેકમાં વ્યાપીને રહેલો (અને) સવાનન્દનાઃ = સર્વદા આનંદઘન (છે.) અહંકારથી માંડીને દેહપર્યત જે કંઈ દશ્ય કે શેય પ્રપંચ છે તે સર્વ માયાનું કાર્ય હોવાથી મિથ્યા છે અને વળી, તે ક્ષણે ક્ષણે બદલાતો રહેતો હોવાથી પણ નિત્ય કે સત્ય કહી શકાય તેવો નથી. પરંતુ તે સૌનો જે સાક્ષી છે, તે તેનાથી સર્વથા વિરૂદ્ધ સ્વભાવવાળો છે. તેના સ્વરૂપનું વર્ણન કરતાં પ્રસ્તુત શ્લોકમાં આચાર્યશ્રી જણાવે છે કે તે નિત્ય, અદ્વિતીય, અખંડ ચૈતન્યસ્વરૂપ છે. બુદ્ધિ આદિ સંપૂર્ણ દશ્યપ્રપંચ જણાય છે ત્યારે તે પરમાત્મા તે સૌનો અવિકારી સાક્ષી થઈને પ્રકાશતો રહે છે. દશ્ય કે શેય પદાર્થો અસત
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy