SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૪ છે કે જેમ લોઢું અગ્નિના સંયોગથી, અગ્નિના ધર્મથી સંયુક્ત થાય છે, અર્થાત્ લોઢામાં મૂળ સ્વભાવે પ્રકાશવાનો ધર્મ નથી, તદુપરાંત તેમાં દાહક શક્તિ પણ નથી. છતાં અગ્નિમાં તેને તપાવવાથી અગ્નિના ગુણધર્મો તે થોડો સમય ગ્રહણ કરી સંગ્રહ છે. તેથી લોઢાનો ગોળો તપેલો હોય તો લાલરંગનો અને પ્રકાશમય જણાય છે, તથા થોડો સમય દાહકશક્તિ સંપન્ન થાય છે. તેવી જ રીતે સતસ્વરૂપ ચૈતન્ય આત્મા, જ્ઞાન સ્વરૂપ હોઈ જાણવાના ધર્મવાળો છે. તેના સંસર્ગમાં જડ બુદ્ધિ પણ આત્માના ધર્મથી યુક્ત થાય છે અને ચેતન આત્મા જેવી ભાસે છે. આત્માની જેમ બુદ્ધિ પણ સર્વ કાંઈ જાણનારી જ્ઞાતા જેવી કે પ્રમાતા જેવી ભાસે છે. વળી તે બુદ્ધિ અમુક માત્રામાં શેય અને જ્ઞાન જેવી પણ જણાય છે. આત્મા સ્વયંપ્રકાશિત હોઈ, પોતે જ પોતાને જણાવે છે, તેમ બુદ્ધિ પણ જડ હોઈ પરપ્રકાશિત અર્થાત્ આત્મા દ્વારા જ પ્રકાશિત હોવા છતાં આત્માના ધર્મ, ગુણ ગ્રહણ કરી આત્મવત્ શેય અને જ્ઞાનસ્વરૂપ જણાય છે. આમ, જ્ઞાન, ય અને જ્ઞાતારૂપે કે પ્રમાતા, પ્રમાણ અને પ્રમેયરૂપે જણાય છે. પરંતુ વાસ્તવમાં બુદ્ધિ જડ, અનિત્ય, પરપ્રકાશિત અસત અને અનિત્ય છે. આમ હોવાથી, બુદ્ધિના કાર્ય જેવું આ સઘળું શ્વેત પ્રપંચ મિથ્યા છે. કારણ કે દ્વૈતમય કે ભેદમય જગત જો બુદ્ધિ દ્વારા જ જણાતુ હોય તો સ્વયંબુદ્ધિ જ જડ, પરપ્રકાશિત અને અનિત્ય હોવાથી દૈતપ્રપંચવાળું જગત કદાપિ સત્ય ન હોઈ શકે, માટે જ બુદ્ધિજન્ય સર્વ ભેદમય સૃષ્ટિ મિથ્યા છે, કારણ કે બુદ્ધિનું કાર્ય કે સર્જન છે. “તાર્યમતત્ ત્રિતયં તો મૃષા' જેમ સ્વપ્ન સમયે જણાતી દૈતમય સ્વપ્નસૃષ્ટિ, ભ્રાંતિ સમયનું ભેદદર્શન, તથા દિવાસ્વપ્ન કે કલ્પનામાં જણાતી અનેકતા મિથ્યા અને અસત્ છે, તેમ જાગૃતિમાં બુદ્ધિ દ્વારા જે દૈતદર્શન થાય છે, તે પણ નિર્વિવાદ મિથ્યા જ છે.
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy