SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૬ આત્મા અજન્મા છે; જગત વિનાશી છે, આત્મા અવિનાશી છે; જગત આરોપ છે, આત્મા અધિષ્ઠાન છે. આમ બંને અન્યોન્યના વિરોધી હોવાથી તેમનું ઐક્ય સંભવી શકે નહીં. આવો આત્મા અને શરીર વચ્ચેનો ભેદ તો આંધળાને પણ દેખાય તેવો સુસ્પષ્ટ છે. તેથી શરીર ન તો આત્મા થઈ શકે કે પછી આત્મા કદાપિ મરણશીલ શરીર થઈ શકે નહીં. તે ન્યાયે જન્મેલું જગત અજન્મા આત્મા ન થાય અને અનાદિ, અજન્મા, અનંત તથા અપરિવર્તનશીલ આત્મા, સંસારની જેમ નિત્ય પરિવર્તન પામતો સંસાર કે જગત પણ થઈ શકે નહીં. આવું વિવેકજ્ઞાન જેને જેને થાય તે પોતાના આત્મસ્વરૂપનો અસંગ, નિર્લેપ, અદ્વિતીય, નિરાકાર ધર્મ કે સ્વરૂપ જાણી શકે છે. આત્મા તરીકે હું તો સૂક્ષ્મથી સૂક્ષ્મ છું તો મને મારાથી સૂક્ષ્મ આવરણ કે પડદો કઈ રીતે ઢાંકી શકે કે હોઈ શકે? હું અસંગ તો મને આવરણનો સાથ, સંગાથ કે સ્પર્શ કેવો? હું કમળ જેમ નિર્લેપ તો મને અજ્ઞાનના આવરણનો કે તમોગુણની આવરણશક્તિનો લેપ કેવો? હું આત્મા તરીકે માયાથી મુક્ત છું, તો માયાના તમોગુણનું આવરણ મને અડે કઈ રીતે? હું નિરાકાર તો મારે કેવો સાકાર પડદો કે કેવું દશ્ય આવરણ? આત્મસ્વરૂપે હું તો ત્રણે કાળે રહેનારો જ્યારે આવરણ તો અજ્ઞાનકાળે જ અસ્તિત્વ ધરાવે છે. એ તો ઠીક, પણ જ્ઞાનકાળે આવરણનો બાધ પણ થઈ જાય તેથી આવરણ, ભ્રાંતિથી અન્ય કંઈ જ નથી. હું તો તમામ શરીરોનું, સાકારનું, જગતનું, દેશ્ય પ્રપંચનું એક અને અદ્વિતીય અધિષ્ઠાનમાત્ર છું. સત્ય, જ્ઞાન અને અનંતસ્વરૂપવાળો હું બ્રહ્મ છું. મારે વળી આવરણની ભ્રમણા કેવી? અગર કેવી અવિદ્યાની ભ્રાંતિ? આત્મસ્વરૂપે હું શુદ્ધ છું, બુદ્ધ છું, મુક્ત છું , શાશ્વત રીતે પ્રશાંત છું. મારે વળી વિક્ષેપની નશ્વર ભ્રાંતિનો સંગ ક્યાં? આવી બ્રહ્મભાવનામાં કે આત્મવિચારણામાં નથી સંસારના અસત પદાર્થોની આસક્તિ, તો કેવો વિક્ષેપ? કે કેવું વિક્ષેપનું વિન? માટે મારી અમના આત્મસ્થિતિમાં મન નથી તો રજોગુણની વિક્ષેપશક્તિનો સંભવ હોઈ
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy