________________
પ૬પ
આવરણશક્તિથી વિક્ષેપ
પૂર્વે વિચારણા કરવામાં આવી કે તમોગુણની આવરણશક્તિ અને રજોગુણની વિક્ષેપશક્તિ જ બંધનકારક છે. તેથી પ્રસ્તુત શ્લોકમાં જણાવવામાં આવે છે કે જ્યાં સુધી તમોગુણની આવરણશક્તિને નિઃશેષરૂપે અર્થાત્ સંપૂર્ણપણે દૂર કરવામાં ન આવે ત્યાં સુધી રજોગુણની વિક્ષેપશક્તિ ઉપર વિજય મેળવી વિક્ષેપ દૂર કરવો અતિમુશ્કેલ છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે અજ્ઞાન, અવિદ્યા કે પ્રમાદનું તમોગુણવાળું આત્મા ઉપરનું આવરણ જ આત્માનું સાચું જ્ઞાન ન થવા દેતાં દેહાદિને જ આત્મા માનવા પ્રેરે છે. માટે જ અજ્ઞાનના આવરણથી છતી આંખે આંધળો બનેલો મુમુક્ષુ, પોતાને શરીર માની, શરીરના મૃત્યુને પોતાનો ભય સમજી, જીવનશાંતિમાં વિક્ષેપનો અનુભવ કરે છે. આત્માને આવરણ કરનારી શક્તિ જયાં સુધી સક્રિય હોય છે ત્યાં સુધી આત્મસ્વરૂપનું દર્શન કે જ્ઞાન પ્રાપ્ત કરવું અતિ મુશ્કેલ છે. પણ જો કોઈ સાધક કે મુમુક્ષુ, સદ્ગુરુની કૃપાથી આવરણ દૂર કરવા માટે પ્રબળ પુરુષાર્થ બને અને તેના પુરુષાર્થમાં ઈશ્વરના અનુગ્રહની સુગંધ ભળે, તો નિશ્ચિત મા શ્રુતિ અને સ્મૃતિની જ્ઞાનદષ્ટિ, સાધકને અલંકૃત કરી શકે અને આવરણ શક્તિ નિવૃત્ત થઈ શકે. જેણે પોતાના આત્મસ્વરૂપ ઉપરનું આવરણ દૂર કર્યું છે તે દેહતાદાભ્યથી મુક્ત થયો છે અને તેથી તેના ઉપર રજોગુણની વિક્ષેપશક્તિની કાંઈ અસર થતી નથી. આમ, બંને શક્તિના બંધનમાંથી દૂર થવાની ઇચ્છાવાળાએ પ્રથમ આવરણશક્તિની નિવૃત્તિ કરી પોતાના આત્મસ્વરૂપનું અનાવરણ કરી વિક્ષેપશક્તિનો સંહાર કરવો જોઈએ.
જેવી રીતે દૂધ અને જળમાં ભેદ હોવાથી બંને એકબીજાના વિરોધી છે, જુદાં છે, બંનેના ધર્મો પણ ભિન્ન ભિન્ન છે, તે જ પ્રમાણે આત્મા અને દેશ્ય જગત અર્થાત્ જે કંઈ અનુભવગમ્ય છે, ચક્ષુ-ઇન્દ્રિયનો વિષય છે, પ્રત્યક્ષ છે, સાકાર છે, જન્મેલું છે, તેવા શરીરાદિ સર્વ પદાર્થો જુદાં જુદાં અને વિરોધી ધર્મવાળા છે. જગત દશ્ય છે, આત્મા દેખા છે; જગત સાક્ષ્ય છે, આત્મા સાક્ષી છે; જગત જડ છે, આત્મા ચેતન છે; જગત જન્મેલું છે,