SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ પપ૭ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ મુક્ત કંઠે, મોક્ષ જેવા ગીતશાસ્ત્રમાં લલકારે છે आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन । સુવું વા ય વા ટુર્વ સ યોની પરમો મતઃ (૬-૩૨) હે અર્જુન! પોતાની ઉપમા વડે જે યોગી સર્વત્ર (સર્વ પ્રાણીઓમાં) સુખ અને દુઃખને સમાન જાણે છે તે યોગી શ્રેષ્ઠ મનાય છે.” આવો પરમ ઉત્કૃષ્ટ યોગી દશ્ય જગતનું અગ્રહણ કરી સર્વાત્મભાવમાં નિમગ્ન રહી સ્વયં મુક્ત થાય છે અને અન્યની મુક્તિ માટે નિશદિન ચિંતન કર્યા કરે છે, છતાં લેશમાત્ર વિક્ષિપ્ત થતો નથી કારણ કે પોતે પોતાને માટે જ સર્વ કાંઈ કરે છે. તેની અભયદષ્ટિમાં અનાત્મા તો છે જ નહીં, તો કેવો વિક્ષેપ? કેવું બંધન? કેવો ત્યાગ ક્યાં ગ્રહણ? આમ, તમામ દ્વન્દ્ર અને સાપેક્ષતાની ક્ષિતિજોથી મુક્ત થઈ નિરપેક્ષ આત્મભાવમાં તકૂપ થયેલાને સદાકાળ સદાબહાર જેવો સર્વાત્મભાવ જ પ્રગટેલો હોય છે. | (છંદ–શાર્દૂલવિક્રીડિત) दृश्यस्याग्रहणं कथं नु घटते देहात्मना तिष्ठतो बाह्यार्थानुभवप्रसक्तमनसस्तत्तत्क्रियां कुर्वतः । संन्यस्ताखिलधर्मकर्मविषयैर्नित्यात्मनिष्ठा परैः तत्त्वज्ञैः करणीयमात्मनि सदाऽऽनन्देच्छुभिर्यत्नतः ॥३४॥ ‘હાત્મના તિષ્ઠતઃ = (જે) દેહાત્મભાવે રહેનારો, વાહ્યાનુભવ મનસ: બાહ્ય પદાર્થોના અનુભવમાં આસક્તમનવાળો, તત્ તત્ બિયાં પુર્વતઃ= (અને આસક્તિ પ્રમાણે) તે તે ક્રિયા કરનારો હોય તેને દૃશ્ય મઘમ્ = દેશ્યનું અગ્રહણ कथं नु घटते = કેવી રીતે સંભવે? તતઃ = માટે સા-માનમઃ ' = નિત્ય આનંદ ઇચ્છતા
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy