________________
૫૪૧
બ્રહ્મીભૂતને પોતાનું શરીર જ જો બ્રહ્મથી ભિન્ન નથી જણાતું તો શરીરનું મૃત્યુ કેવું? જો નથી તેને શરીર અને તે જ ન્યાયે નથી શરીરનું પતન કે મૃત્યુ, તો હવે તેને ભય ક્યાં? જો મૃત્યુ જેવો ભયાનક ભય નથી તો વિક્ષેપ કેવો? આમ, વિક્ષેપના અભાવમાં જીવન્મુક્ત જ્ઞાની અભયપદથી અલંકૃત થયેલો છે, અભેદ દષ્ટિના અતિ ઉન્નત શિખર પર છે, જ્યાંથી ઢંતસુષ્ટિનો આત્યંતિક અંત સિવાય કંઈ જ દશ્ય નથી. આમ જ્ઞાનીને, જીવન્મુક્તને, અભેદબુદ્ધિ કે ઐક્યદષ્ટિથી સર્વ કાંઈ બ્રહ્મમય દેખાય છે. માટે જ તે ભયમુક્ત બને છે. ટૂંકમાં, અભેદમાં જ અભય છે અને દૈતદષ્ટિમાં જ, ભેદમાં જ ભય છે. “હિતીયા માં ભવતિ I” (બૃહદારણ્યકોપનિષદ)
- આથી વિપરીત, જે કોઈ પ્રમાદી હોવાને લીધે બ્રહ્મચિંતનથી વિમુખ થતાં બ્રહ્મથી ભિન્ન અનેક પ્રકારના ભેદને જુએ છે, એટલું જ નહીં પરંતુ ભેદ કે દૈતને સત્ય પણ માને છે, તેને નામ અને આકાર સત્ય જણાય છે, શરીર સારું લાગે છે. માટે જ શરીરના મૃત્યુની ભયાનકતા તેને નિશદિન બેચેન કરે છે અને ભયના આતંકમાં તે જીવન જીવે છે. પળે પળે પદાર્થોનો અભાવ, સગાંસ્નેહીની વિદાય, ભોગ અને સંપત્તિથી તેનો છૂટકારો, આ બધું જ તેને ભયભીત કરે છે. કારણ કે પ્રમાદી અને બ્રહ્મચિંતનથી છૂટેલો અવિવેકી, ન તો પોતાને અમર આત્મા કે અનંત બ્રહ્મ સમજે છે કે ન શરીરાદિનું મિથ્યાત્વ જાણે છે. આમ, વાસ્તવમાં પોતાને દેહાદિ માની, પોતે જ પોતાને પરબ્રહ્મ કે આત્માથી જુદો કરે છે, વિખૂટો પાડે છે અને પોતે અજર અમર આત્મા હોવા છતાં ભેદદષ્ટિએ પોતાને જડ શરીર જાણી, માને છે કે રોગો મારા, ઘડપણ મારું, મૃત્યુ મારું. માટે તેનાથી અનુભવાતો ભય પણ મારો. આમ, ભેદદષ્ટિ દ્વારા જ તે ભયને પ્રાપ્ત થાય છે અને દુઃખી થાય છે. આમ, ભય કે દુખ એ ભેદનું જ પરિણામ છે. તદષ્ટિથી જ કે જુદાઈથી જ પોતે નિમંત્રેલી એ ભયાનક દુર્દશા છે. જે પોતાને દેહાદિ માને છે તેને જ એક વાર નહીં, વારંવાર મૃત્યુ છે અને અનેકવાર જન્મ છે. આમ, પોતાને બ્રહ્મથી ભિન્ન ગણી તે જાતે જ પોતાને મૃત્યુના મુખમાં ધકેલી દે છે. તેથી જ કઠશ્રુતિ