________________
કર્યા કરે અને દેહસૌંદર્યના દિવાસ્વપ્નો રચી તેમાં ભ્રમણ કરે છે. અને આત્મસ્વરૂપનું ચિંતન છૂટી જાય છે. તેથી વિષયચિંતનમાં લાગેલું ચિત્ત ઇન્દ્રિયોના વિષયોને પ્રાપ્ત કરવાની ઇચ્છા કે કામનાથી બેકાબૂ બને છે. તાત્પર્યમાં, વિષયચિંતનથી જ વિષય પ્રાપ્ત કરવાની કામના જાગે છે અને તેવી કામના કે વાસના જ મનુષ્ય પાસે વિષયભોગ પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ કરાવે છે. આવી પ્રવૃત્તિમાં જે ગળાડૂબ થઈ પોતાના આત્મસ્વરૂપનું વિસ્મરણ કરે છે, તેવું ચિત્ત કે તેવો પુરુષ મુક્તિ કે મોક્ષના માર્ગથી અગર આત્મસાક્ષાત્કારથી ભ્રષ્ટ થાય છે અને અધઃપતનના માર્ગે જ પ્રસ્થાન કરે છે. આવો પુરુષ, જે અધઃપતનના માર્ગે પ્રવાસ કરે છે તેની આત્મોન્નતિ થતી હોય તેવું જોવામાં આવતું નથી, પરંતુ અવશ્ય તેનો નાશ જ થાય છે. કારણ કે જે અધઃપતનના અંતિમ આરે પહોંચી ગયો હોય તે પુનઃ પોતાનો ઉધ્ધાર કરી બ્રહ્મચિંતનના ઉચ્ચતમ શિખર ઉપર પુનઃ આરોહણ કરી શકતો નથી. માટે જ બધા અનર્થોનું કે સર્વ અધોગતિનું કારણ સંકલ્પ છે, તેવું સમજી વિષયચિંતનનો દેઢતાપૂર્વક ત્યાગ કરવો જોઈએ. એવા ત્યાગ માટે સંકલ્પથી મુક્ત થવું આવશ્યક જ નહીં બલ્કે અનિવાર્ય છે.
(છંદ-ઉપેન્દ્રવજા)
अतः प्रमादान्न परोऽस्ति मृत्युः
અત:
विवेकिनः ब्रह्मविदः
समाधौ
प्रमादात् परः
૫૩૭
विवेकिनो ब्रह्मविदः समाधौ ।
समाहितः सिद्धिमुपैति सम्यक्
समाहितात्मा भव सावधानः ॥३२६॥
=
=
=
માટે
વિવેકી અને બ્રહ્મજ્ઞાનીને
+ આત્મચિંતનમાં
પ્રમાદથી (આત્મસ્વરૂપના વિસ્મરણથી) = અન્ય (બીજું કોઈ)