SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ પરર વિન્તાનાશઃ ભવેત્ = વિષયચિંતન બંધ થાય છે अस्मात् = આ વિષયચિંતનના નાશથી वासनाक्षयः = વાસનાનો નાશ થાય છે. • वासनाप्रक्षयः = વાસનાનો નાશ મોક્ષ: = મોક્ષ છે. सा = આને जीवन्मुक्तिः = જીવન્મુક્તિ = કહેવાય છે. उच्यते વિષયચિંતન, વિષયભોગ માટેની ક્રિયા અને વાસના એ ત્રણેય મુમુક્ષુને અનર્થ ઉપજાવનારાં તથા બંધનમાં નાંખનારાં છે. તેવી સૂક્ષ્મ વિચારણા બાદ, તે ત્રણેયનો સંહાર કરવા માટે બ્રહ્મવાસનારૂપી બ્રહ્માસ્ત્રનો સંકેત કર્યા બાદ, સાત્ત્વિક નિષ્કર્ષ આપતાં તાત્ત્વિક નિર્દેશ કર્યો છે કે વાસનાનો ક્ષય એ જ મોક્ષ છે અને વાસનાની નિવૃત્તિ એ જ જીવન્મુક્તિ છે. - ઉપરોક્ત ચર્ચા સંદર્ભે અત્રે સમજાવાયું છે કે જો બ્રહ્મવાસનાના . બળે ક્રિયા કે કર્મનો નાશ થાય તો વિષયચિંતન પણ અવશેષ બચી શકે નહીં. તેથી વિષયભોગની ચિંતા કે વિષયોનું ચિંતન નષ્ટ થતાં વિષયપ્રાપ્તિની કે વિષયભોગની વાસનાનો પણ સમૂળ નાશ થાય છે. આવા વાસનાના આત્યંતિક નાશમાં નથી ક્રિયા કે કર્મફળનું બંધન, નથી વિષયચિંતારૂપી વિક્ષેપ કે અજંપાનું બંધન કે નથી સંસારસાગરમાં પુનઃ જન્મ અને વારંવાર થતાં મૃત્યુનું બંધન. આમ, વાસનાનો ક્ષય કે નાશ એ જ મોક્ષ કે મુક્તિ છે અને આવી વિષયની, કર્મની કે સંસારની મુક્તિને જ તત્ત્વાર્થે શરીર છોડ્યા વગર જીવતાં જ મળેલી જીવન્મુક્તિ કહેવાય છે. આવી જીવન્મુક્તિ જ પ્રત્યેક સાધક કે મુમુક્ષુનું અંતિમ લક્ષ્ય હોવું જોઈએ. માટે જ ક્ષણભર પણ થોભ્યા વિના આવી જીવતાં મળતી જીવન્મુક્તિને વિના વિલંબે હસ્તગત કરવા માટે મુમુક્ષુએ હાથમાં અસંગશસ્ત્ર લઈ દઢતાપૂર્વક કોઈ પણ ક્ષોભ કે વિષયોની આસક્તિનો, સંસારના પ્રલોભનોનો, સ્નેહીઓના નશ્વર કે સ્વાર્થયુક્ત સંબંધોનો લેશમાત્ર
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy