SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ પ૧૦ અને સંસારીથી નિર્લેપ છે, તેને વળી સંસારનું બંધન કેવું? કે સંસારથી તરણની અપેક્ષા ક્યાં? સંસારના પાણી વિના સંસારમાં કોઈ ડૂળ્યો હોય તેવું સાંભળ્યું છે ખરું? તે જ ન્યાયે જેને સંસારબંધન નથી તેને મુક્તિનો પ્રયત્ન કેવો? આમ વિચારતાં સ્પષ્ટ છે કે જે કોઈ આત્મસ્વરૂપમાં નિષ્ઠાવાન હોય, સર્વત્ર, સર્વમાં, સર્વાત્મદર્શન કરતો હોય, તેને પોતે અને સર્વ કોઈ આત્મસ્વરૂપે નિત્યમુક્ત જ જણાય છે. તેમ હોવાથી વાસ્તવમાં સંસાર અજ્ઞાની કે અહંકારીને જ સંભવે છે, જ્ઞાનીને કદી નહીં. (છંદ-ઉપજાતિ) तस्मादहंकारमिमं स्वशत्रु भोक्तुर्गले कंटकवत् प्रतीतम् । विच्छिद्य विज्ञानमहासिना स्फुट भुंश्वात्मसाम्राज्यसुखं यथेष्टम् ॥३०॥ तस्मात् = માટે भोक्तुः गले = ભોક્તાના ગળામાં દwવત્ પ્રતીતમ્ = કાંટાની જેમ ખટકતા इमम् = આ સ્વશત્રુ મહંઝારમ્ = અહંકારરૂપી પોતાના શત્રુનો વિજ્ઞાનમહાશિના = વિજ્ઞાનરૂપી મોટી તલવાર વડે = સારી રીતે विच्छिद्य = સંહાર કરીને માત્મસામાન્યસુહમ્ = આત્મસામ્રાજ્યનું સુખ यथेष्टम् = સ્વતંત્રતાથી = ભોગવ. स्फुटम् भुंव આહારનો આસ્વાદ માણવાની ઇચ્છાવાળાએ અન્નમાં આવેલો કાંટો કે કાંકરીને મહાન વિજ્ઞ માની દૂર કરવો પડે છે અને ત્યારબાદ અન્નનો
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy