SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૯ કરી, આ અહંકાર જ આત્માનું વિસ્મરણ, આત્માનું અપહરણ કે આત્માનું હનન કરે છે. આવો અહંકાર વાસ્તવમાં તો આત્માના પ્રતિબિંબવાળો જ છે. તેથી અનાત્મારૂપ અહંકારમાં તે મુમુક્ષુ! તને જે “હું પણાની બુદ્ધિ થઈ છે, તે બુદ્ધિને તું શીઘ ત્યજી દે. કેમ કે “હુંપણાની બુદ્ધિથી કે ભ્રાંતિથી જ તને જન્મ-મરણ અને વૃદ્ધાવસ્થાના દુઃખથી સભર આ સંસાર પ્રાપ્ત થયેલો છે. ખરેખર તો તું ચૈતન્યમૂર્તિ સ્વરૂપ આનંદમય અંતરાત્મા જ છે. (છંદ-ઉપજાતિ) सदैकरूपस्य चिदात्मनो विभो રાનન્દમૂર્તરનવર્સે | नैवान्यथा क्वाप्यविकारिणस्ते " વિનાહમાલમનુષ્ય સંસ્કૃતિઃ રિવા સા-અવરૂપસ્ય = સદા એકરૂપ, તે = તારા માટે ચિંતાત્મનઃ = જ્ઞાનસ્વરૂપ, મદં મધ્યાસં વિના = અહંકારમાં વિમો: = વ્યાપક અધ્યાસ વિના કાનમૂર્વે = આનંદ મૂર્તિ અન્યથા =અન્ય કોઈ કારણથી મનવીર્તે = નિષ્કલંક કીર્તિવાળા, સમુષ્ય સંસ્કૃતિઃ = આ સંસાર અવિવારિખ: = નિર્વિકાર એવા વ પ = ક્યાંય પણ વ = નથી જ. “અહંકારમાં અધ્યાસ કર્યા વિના અર્થાત “હું અહંકાર છું” તેવો અહંભાવરૂપી ભ્રમ, ભ્રાંતિ કે અધ્યાસ વગર બીજી કોઈ પણ રીતે તેને સંસાર સંભવી શકે નહીં. તું તો સદા એકરૂપ, ચૈતન્યસ્વરૂપ, વિભુ અર્થાત્ વ્યાપક, આનંદમૂર્તિ, પાપરહિત કીર્તિવાન અને અવિકારી એવો આત્મા છે.” આત્મસ્વરૂપે સર્વ કોઈ અશરીરી છે જેને શરીર નથી તેને સંસાર કેવો? જેને સંસાર જ નથી તે સંસારી થાય કઈ રીતે? આમ, જે સંસાર
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy