________________
૪૯૯
ચુનોત્ર-નામ--ગાશ્રમેષ = કુળ, ગોત્ર, નામ, રૂપ અને
આશ્રમમાં રહેલું अभिमानं त्यज
= અભિમાન છોડી દે. कर्तृतादीन्
= કર્તુત્વ-ભોકતૃત્વ વગેરે लिङ्गस्य धर्मान् अपि = સૂક્ષ્મ શરીરના ધર્મોને પણ त्यक्त्वा
= છોડીને अखंडसुखस्वरूपः = અખંડાનંદ સ્વરૂપવાળો भव
= થી.
દેહ કે અહંકાર આત્મા નથી એવી શાસ્ત્રીય તાત્ત્વિક ચર્ચાનું સમાપન કરતાં જણાવાયું છે કે અનાત્માના તમામ ધર્મોનો ત્યાગ જ અખંડ સુખ અપાવી શકે તેમ છે. આમ હોવાથી, મુમુક્ષુએ કુળ, ગોત્ર, નામ, રૂપ, આશ્રમ જેવા ધર્મોનું અભિમાન છોડી દેવું જોઈએ. કારણ કે એ તમામ ધર્મો તો તત્કાળ મૃત્યુ પામેલા શબ જેવા શરીરને આશ્રયે જ રહેલા છે. તાત્પર્યમાં, આત્માને નથી કુળ કે ગોત્ર, નથી નામ કે રૂપ અને તે જ ન્યાયે આત્મા નથી બ્રાહ્મણ કે ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર. આત્મા તો આવા તમામ ધર્મોથી અસંગ છે. માટે તું તને આત્મરૂપ સમજી, તેવા સૌ ધર્મોને મૃતદેહના જાણી, તેનો ત્યાગ કર. તે જ પ્રમાણે “હું કર્તા કે હું ભોક્તા છું', તેવા કર્તા-ભોક્તાભાવને લિંગશરીર કે સૂક્ષ્મદેહના ધર્મો જાણીને એનો પણ ત્યાગ કર. ટૂંકમાં, અનાત્માના ધર્મો ત્યાગીને તારા અખંડ સુખસ્વરૂપ આત્માનો સાક્ષાત્કાર કર, કે જે આત્મા નિત્યમુક્ત જ છે. આવો અનાત્માના ધર્મો ત્યાગવાનો સંદેશ ભગવાન શ્રીકૃષ્ણ પણ આપેલો છે. કારણ કે શરીરના, અહંકારના, ઇન્દ્રિયોના કે મનબુદ્ધિના ધર્મોનો ત્યાગ કર્યા વિના કોઈને કદી પણ મોક્ષ કે મુક્તિ પ્રાપ્ત થઈ શકે તેમ નથી. તેથી શ્રીકૃષ્ણ ભગવાને ઉપદેશ્ય છે કે “સર્વધર્માન્જરિત્યજ મામેરું શરણં વન !અનાત્માના સર્વ ધર્મોનો ત્યાગ કરી, મારા એકલાના શરણે જા. “મોક્ષયિષ્યામિ મા ગુવઃ” “શોક કે ચિંતા ન કર, હું તને (જ્ઞાન પ્રદાન કરી) મુક્ત કરીશ.”