SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ કરવો જોઈએ, એવા ત્યાગમાં જ તેને પોતાનું બ્રહ્મસ્વરૂપ પોતાની જાતે જ પ્રગટ થતું જણાશે. જેવી રીતે ચાંદીના ત્યાગમાં જ છીપનું સાચું દર્શન થાય છે, મૃગજળની નિવૃત્તિમાં જ ધરતીના દર્શન થાય છે અને સર્પના બાધમાં જ દોરીરૂપી અધિષ્ઠાન નિઃશંક અનુભવાય છે, તેવી જ રીતે ઉપાધિ કે દેહતાદાત્મ્યના ત્યાગમાં જ પોતાના મૂળસ્વરૂપના દર્શન થાય છે. (છંદ-ઉપજાતિ) सर्वात्मना दृश्यमिदं मृषैव इदं दृश्यम् क्षणिकत्वदर्शनात् सर्वात्मना जानाम्यहं सर्वमिति प्रतीतिः मृषा एव 'अहं' अर्थः न एव नैवाहमर्थः क्षणिकत्वदर्शनात् । ૪૯૪ कुतोऽहमादेः क्षणिकस्य सिद्धयेत् ॥ २६४॥ क्षणिकस्य अहं आदेः અહં સર્વ જ્ઞાનામિ કૃતિ प्रतीतिः कुतः सिद्ध्येत् = આ (અહંકાર વગરે) દૃશ્યની = ક્ષણિકતા જોવામાં આવે છે તેથી સર્વ પ્રકારે મિથ્યા જ છે. - - તે ‘અહમ્’ શબ્દનો તત્ત્વાર્થ હોઈ શકે નહીં (કારણ કે) ક્ષણિક અહંકારાદિની = = = = હું બધું જ જાણું છું એવી પ્રતીતિ ક્યાંથી (કેવી રીતે) સિદ્ધ થાય? = અહંકારાદિ ક્ષણભંગુર છે, સત્ય નહીં આ જે કંઈ દેશ્ય જગત ક્ષણભંગુર દેખાય છે, તે સર્વપ્રકારે મૃગજળ જેમ મિથ્યા કે અસત જ છે. માટે તેવું કંઈ પણ, ‘અહમ્’ શબ્દનો તત્ત્વાર્થ હોઈ શકે નહીં. તદુપરાંત, અહંકારાદિ અર્થાત્ ‘હું કર્તા’, ‘હું ભોક્તા’ એવું જેને અભિમાન છે; ‘હું શરીર’, ‘હું ઇન્દ્રિય’, એવું જેને સઘન તાદાત્મ્ય છે;
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy