SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ . સ્વગત જેવી ભિન્નતાથી ક્યારેય ભેદાયેલો નહોતો. વાસ્તવમાં મુજ અભેદ બ્રહ્મમાં ભેદની ગંધમાત્ર નથી, તો ભેદથી મારા સ્વરૂપનો ભંગ કેવો? માટે જ હું તો અભેદ, અભય, અદ્વિતીય બ્રહ્મતત્ત્વ છું અને એવા વિચારથી ભ્રાંતિમાં પણ દૂર થયો નથી અને થઈ શકું તેમ પણ નથી. આ જ મારી બ્રહ્મભાવનાની નિઃશંક, નિઃસંદેહ, નિર્વિવાદ બ્રાહ્મીસ્થિતિ છે. (છંદ–રથોદ્ધતા) एकमेव सदनेककारणं कारणान्तरनिरासकारणम् । कार्यकारणविलक्षणं स्वयं ૪૪૯ ब्रह्म तत् त्वं असि आत्मनि भावय ब्रह्म तत्त्वमसि भावयात्मनि ॥२६१॥ (જે) પોતે એક જ હોવા છતાં स्वयं एकं एव सत् अनेक कारणम् = અનેકનું કારણ છે, ારણાન્તર-નિરાસારણમ્ - જેના સિવાય બીજું કોઈ કારણ નથી. कार्यकारणविलक्षणम् જે સ્વયં કાર્યકારણભાવથી વિલક્ષણ = = = બ્રહ્મ (છે.) = તે તું જ છે (એમ) = અંતઃકરણમાં ભાવના કર. જેવી રીતે મન એક જ છે છતાં સ્વપ્નકાળે અનેક પ્રાણીપદાર્થોની રચના માટેનું એક કારણ ગણાય છે, તે જ પ્રમાણે બ્રહ્મ, જે એક અને અદ્વિતીય છે, સતસ્વરૂપ છે, છતાં જડ અને ચેતન, સ્થાવર અને જંગમ જેવા અનેક પ્રાણી-પદાર્થોનું તે એક જ માત્ર કારણ છે. ઉપરાંત તે બ્રહ્મ મન અને માયા જેવા અન્ય કારણોનો નિષેધ કરવામાં પણ કારણસ્વરૂપ છે કા૨ણ કે તે મન અને માયા તથા માયાકાર્યનો સાક્ષી છે, ૫૨ છે. તેથી કારણનું પણ કારણ છે. અને એના સિવાય જગતનું અન્ય કોઈ કા૨ણ નથી. એવું સમજાવવા માટે જણાવ્યું છે કે ‘‘ારણાન્તર નિાસ ારામ્ ।' આમ એક દૃષ્ટિકોણથી મિથ્યા જગતની ઉત્પત્તિ માટે બ્રહ્મરૂપી અધિષ્ઠાન
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy