________________
૪૩૬
આત્મસંશોધન કે તૈલધારાવત થતું સરલચિંતન કહે છે.
“માન્યધારયા પોતાની સામે સરવૅતનમ્ ” જયારે આત્મસાક્ષાત્કારનો અંતિમ અજોડ ઉપાય દર્શાવતા ઋષિ યાજ્ઞવક્ય આવી બ્રહ્મભાવનાને નિદિધ્યાસન નામે ઓળખાવે છે. “માત્મા વારે વૃષ્ટટ્ય: શ્રોતઃ મન્તવ્ય: નિરિધ્યાસિતવ્ય: !”
(બૃહદારણ્યકોપનિષદ-૨/૪/૫) “આત્મા સાક્ષાત્કાર કરવા યોગ્ય છે, પણ તેવું સામર્થ્ય જેને પ્રાપ્ત નથી જેનો સંસ્કારગત અધિકાર ઊણો કે ઓછો પડે છે, તેણે જ્ઞાનચક્ષુ અનુપલબ્ધ હોવાથી શ્રવણ દ્વારા પ્રયત્ન કરવો જોઈએ અને શ્રવણરૂપી સાધનની મદદથી જે કોઈ આવો સાક્ષાત્કાર ન કરી શકે તેણે મનન દ્વારા પુરુષાર્થ કરવો. આમ છતાં, જો અપરોક્ષાનુભૂતિ ન થાય તો અંતે નિદિધ્યાસન જેવા પ્રબળ સાધનની કે પ્રક્રિયાની મદદ લેવી.” અત્રે સ્પષ્ટ થયું કે શ્રવણ, મનન કે નિદિધ્યાસન એ કંઈ ક્રમ નથી, પરંતુ અધિકારપર્યાય છે. માટે ક્રમ પ્રમાણે કોઈ સાધક ઊંચો કે નીચો હોતો નથી, પરંતુ ગતજન્મના સંસ્કારગત અધિકાર અને અભિરુચિને ધ્યાનમાં રાખી આવો સંદેશ અપાયો છે. આવા નિદિધ્યાસનના સંદેશમાં પણ અંતે તો બ્રહ્મભાવનારૂપી આત્મચિંતન જ અભિપ્રેત કે અભીષ્ટ છે. આવી બ્રહ્મભાવના આપણે લગભગ તેર શ્લોકમાં વિચારવાની છે. બ્રહ્મભાવનાની આંશિક નહીં પરંતુ પૂર્ણ સફળતાની પ્રાપ્તિ માટે અત્રે પ્રથમ ત્રણ શ્લોક દ્વારા બ્રહ્મના સ્વરૂપલક્ષણની સ્પષ્ટતા કરી છે અને વિચારોની તેવી સ્પષ્ટતા પછી બ્રહ્મવિચારનું સાતત્ય અખંડિત રાખવા તત્પશ્ચાત્ દસ શ્લોક દ્વારા બ્રહ્મભાવનાની પ્રક્રિયા સમજાવી છે.
અનાત્મા કે અબ્રહ્મનું ભૂલથી પણ ચિંતન ન થાય અને બ્રહ્મભાવનાને સ્પષ્ટ દિશાસંકેત આપવા માટે, બ્રહ્મના લક્ષણની સ્પષ્ટતા કરતા બૃહદારણ્યક ઉપનિષદનું અવતરણ ટાંકી જણાવ્યું છે કે अस्थूलमनण्वहस्वमदीर्घमलोहितमस्नेहमच्छायमतमोऽवाय्वनाकाशमसङ्गम्।
(બૃહદારણ્યકોપનિષદ-૩/૮૧૮)