________________
૪૨૮
પદનો લક્ષ્યાર્થ શુદ્ધ બ્રહ્મ છે. આમ અત્રે તત્ પદના બે અર્થ છે, જેમાં તત્ પદનો વાચ્યાર્થ ઈશ્વર એ ઉપાધિયુક્ત અને જગતના કારણત્વને દર્શાવતો અર્થ છે, જયારે લક્ષ્યાર્થ નિરુપાધિક અને અધિષ્ઠાન તત્ત્વને સમજાવતો અર્થ છે.
(૨) ત્વમ્ પદ– ત્વમ્ પદનો વાચ્યાર્થ જીવાત્મા છે. જે ઉપાધિયુક્ત અને કાર્યત્વ સૂચવે છે. જયા૨ે તેનો લક્ષ્યાર્થ ફૂટસ્થ સાક્ષી ચૈતન્ય છે, જે અંતરાત્મત્વ અને સાક્ષીત્વનું સૂચક છે.
(૩)તિ પદ-તિ પદ મહાવાક્યના તત્ પદ અને ત્વમ્ પદને જોડનારું પદ છે. અર્થાત્ ‘તત્ પદ’નો લક્ષ્યાર્થ બ્રહ્મ અને ‘ત્વમ્ પદ’નો લક્ષ્યાર્થ સાક્ષી ચૈતન્ય આત્મા એ બન્ને એક જ ‘સિ’=‘છે’ તેવું બન્ને પદોના લક્ષ્યાર્થનું ઐક્ય ‘સિ’= છે. તેવો અર્થ અભિપ્રેત કરનારું આ પદ છે. તે એવું પણ સૂચિતાર્થ કરે છે કે ‘તત્ પદ’ અને ‘ત્વમ્ પદ’ના લક્ષ્યાર્થમાં કોઈ વિરોધ નથી અગર તેવાં બે વિરોધી દેખાતાં પદો વચ્ચે અવિરોધ છે. તેવું સૂચન કરનારું પદ ‘સિ’ પદ કહેવાય છે.
પૂર્વેના શ્લોકોમાં મહાવાક્યની ત્રિપુટીનો ઉલ્લેખ કર્યા બાદ આપણે તેના તત્ત્વાર્થને આત્મસાત્ કરવા કોઈ પણ પદ કે શબ્દોમાં રહેલી, તેનો અર્થ અભિપ્રેત કરનારી શક્તિ વિશે વિચારવું પડશે. કોઈ પણ શબ્દમાં છુપાયેલા સામાન્ય અર્થનું જ્ઞાન કરાવવાનું સામર્થ્ય ધરાવતી શક્તિને ‘અભિધા’ અગર શક્તિવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. દા.ત. ‘દેવતા’ શબ્દનું શ્રવણ થતાં જ અભિધાશક્તિ કે શબ્દની શક્તિવૃત્તિ દ્વારા રસોડામાં અન્ન પકવતાં અગ્નિરૂપી ‘અંગારા’ કે ‘દેવતા’ એવો સામાન્ય અર્થ સમજાય છે. પરંતુ જ્યારે વક્તાના શબ્દોનો સંદર્ભ કે તાત્પર્યરૂપે શબ્દોમાં છુપાયેલો ગર્ભિત કે વિશેષ અર્થ ન સમજાય અને સંદર્ભ બંધ ન બેસે ત્યારે શબ્દોનો ગૂઢાર્થ, લક્ષ્યાર્થ કે તાત્પર્યાર્થ સમજવા માટે સામાન્ય વાચ્યાર્થથી અન્ય અર્થ લક્ષણાશક્તિથી ગ્રહણ કરવો પડશે. આવી લક્ષણાશક્તિવૃત્તિને પદ કે શબ્દનો